સૂર્ય દેવ અને શનિદેવનો સંયોગ અપાવશે ધન, વૈભવ અને સમૃદ્ધિ
શનિ-સૂર્યના સંયોગથી થશે ફાયદો
શનિ દેવ છે મકર રાશિમાં
સૂર્ય છે શનિની રાશિ કુંભ રાશિમા
દરેક ગ્રહને એક પોતાનું સ્થાન હોય છે. ગ્રહની રાશિ પરિવર્તનના કારણે એક યા બીજા યોગ બને છે. આ યોગ કેટલીક રાશિઓ માટે શુભ છે અને કેટલાક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે 30 વર્ષ બાદ શનિ અને સૂર્યની સ્થિતિના કારણે એક દુર્લભ યોગ બની રહ્યો છે. હાલમાં સૂર્ય કુંભ રાશિમાં શનિની રાશિમાં બેઠો છે. બીજી તરફ શનિદેવ પોતાની રાશિ મકર રાશિમાં બિરાજમાન છે. જાણો બંને ગ્રહોની આ સ્થિતિથી કઈ રાશિને થશે ફાયદો થશે.
શનિ-સૂર્યનો સંયોગ અપાવશે ફાયદો
જ્યોતિષમાં ભગવાન શનિને ક્રૂર દેવતા માનવામાં આવે છે અને દરેક વ્યક્તિ તેની ખરાબ નજરથી બચવા માંગે છે. લોકોના મનમાં શનિદેવ પ્રત્યે માત્ર ડરની લાગણી હોય છે, તેથી તેઓ શનિદેવની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો કરતા રહે છે. પરંતુ આ વખતે શનિ દેવ અમુક રાશિને લાભ આપવા જઇ રહ્યા છે. કારણ કે 30 વર્ષ બાદ શનિ અને સૂર્યના સંયોગથી દુર્લભ યોગો બની રહ્યા છે.સૂર્ય શનિની રાશિ કુંભમાં છે જ્યારે શનિદેવ મકર રાશિમાં બિરાજમાન છે. સૂર્ય અને શનિના સંયોગથી ઘણી રાશિઓ માટે ભાગ્યનો માર્ગ ખુલશે. જાણો કઈ રાશિને થશે ફાયદો.
મેષ
આ રાશિના જાતકોને શનિ અને સૂર્યની યુતિ તમારા માટે ફળદાયી રહેશે. આ સમયે તમને દરેક બાબતમાં સફળતા મળશે. વ્યાપારમાં લાભની તકો રહેશે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. વ્યવસાયમાં નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારમાં નવી યોજનાઓ શરૂ થઈ શકે છે. પ્રતિષ્ઠામાં વધારો થશે. બોસ તરફથી તમને પ્રશંસા મળી શકે છે.
સિંહ
સિંહ રાશિના લોકો માટે સૂર્ય અને શનિનો સંયોગ શુભ સાબિત થશે. આ સમયે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. વેપારમાં લાભ થવાના સંકેત છે. પગાર અને પ્રમોશનમાં વધારો થવાની સંભાવના છે. વેપારમાં રોકાણ માટે સમય સાનુકૂળ છે. આ દરમિયાન તમને નવી વસ્તુઓ શીખવાની તક મળશે.