વડોદરાના કરજણના નારાજ નેતાનું આખરે સમાધાન; સતિષ નિશાળિયાને સી આર પાટીલ, પરાક્રમસિંહ જાડેજા અને ભાર્ગવ ભટ્ટે મનાવ્યા, નિશાળિયાએ ભાજપમાં જ રહેવાની આપી ખાતરી
વડોદરાના કરજણના નારાજ નેતાનું આખરે સમાધાન
નારાજ નેતા સતિશ નિશાળિયાની નારાજગી થઈ દૂર
સતિષને પાટીલ,પરાક્રમસિંહ જાડેજા અને ભાર્ગવ ભટ્ટે મનાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બરાબરનો રાજકીય રંગ લાગ્યો છે. એવામાં તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભરી રહ્યાં છે. સાથો સાથ શક્તિપ્રદર્શન અને પ્રસાર પ્રચારનો શોર પણ શરૂ કરી દીધો છે. એક તરફ પ્રસાર-પ્રચાર ચાલી રહ્યું છે તો બીજુ તરફ નારાજ નેતાઓને મનાવવાનું પણ કામ ચાલુ છે. ભાજપના નારાજ નેતા સતિશ નિશાળિયાનું પાર્ટી સાથે સમાધાન થયું છે.
વડોદરાના કરજણના નારાજ નેતાનું આખરે સમાધાન
વડોદરાના કરજણના નારાજ નેતાનું આખરે સમાધાન પાર્ટી સાથે થયું છે. નારાજ નેતા સતિશ નિશાળિયાની નારાજગી દૂર થઈ છે. સતિષ નિશાળિયાને મનાવવામાં મોવડીમંડળ સફળ રહ્યું છે. સતિષ નિશાળિયા વિધાનસભા ચૂંટણી નહી લડે. સતિષને સી આર પાટીલ પરાક્રમસિંહ જાડેજા અને ભાર્ગવ ભટ્ટે મનાવ્યા છે. ત્રણેય નેતાઓ કરજણ આવી સતિશ નિશાળિયા સાથે બેઠક કરી છે. સતિષ નિશાળિયાએ ભાજપમાં જ રહેવાની ખાતરી આપી છે.
ભાજપે ટિકિટ ન આપતાં પૂર્વ MLA સતીશ નિશાળિયા નારાજ થયા હતા
ભાજપે ટિકિટ ન આપતાં પૂર્વ MLA સતીશ નિશાળિયા નારાજ થયા હતા. અક્ષય પટેલને ભાજપે ટિકિટ આપતાં સતીશ નિશાળિયા નારાજ થયા હતા. પોતાનાં કાર્યાલયમાંથી સતીશ નિશાળિયાએ ભાજપનાં બેનર પણ હટાવી દીધા હતા. તદુપરાંત સતીશ નિશાળિયાએ અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કર્યાની પણ ચર્ચા ચાલી રહી હતી. એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી સતીશ નિશાળિયા કોંગ્રેસની ટિકિટ પર કરજણ બેઠક પરથી ચૂંટણી લડશે. જે બાદ આજે સી આર પાટીલ પરાક્રમસિંહ જાડેજા અને ભાર્ગવ ભટ્ટે તેમને મનાવી લીધા છે.
કરજણ બેઠકનું જ્ઞાતિ સમીકરણ
કરજણ બેઠકની મતદાર યાદી પરથી જાણી શકાય છે કે, વસાવા અટકના 41293 મતદાર છે તેમજ પટેલ સમાજના 35655 મતદાર છે. જો વાત કરવામાં આવે પરમાર અટકની તો તેમના વોટ 11319 અને રાઠોડ સમાજના 7395 મત છે. માછી 4795, ચૌહાણ 4614, પઢિયારના 3399 મત છે.