ટેલિવિઝન પર પ્રેમાળ પણ હુકુમ ચલાવનાર સ્ત્રીની વાત આવે એટલે કોકિલાબેન મોદીનો ચહેરો સામે આવી જાય જેને તેની ગોપી વહુ પર પ્રેમ છે અને તે નથી ઇચ્છતી કે ગોપી વહુથી કોઇ પણ પ્રકારની ભૂલ થઇ જાય. છેલ્લા થોડા સમયમાં કોકિલા બેન મોદીનો ડાયલોગ રસોડે મે કોન થા ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે મેકર્સે આ શૉને ફરીથી શરૂ કરી રહ્યાં છે.
સાથ નિભાના સાથિયા ફરી એક વાર
કોણ બનશે ગોપી વહુ?
કોકિલા બેન મોદી બનશે રૂપલ પટેલ?
હવે સાથ નિભાના સાથિયા-2 શરૂ થવા જઇ રહી છે તેનુ પહેલુ ટીઝર લોન્ચ થઇ ગયુ છે. હવે ગોપી વહુના પાત્રમાં તેમે બે લોકોને જોયા છે. પહેલા જીયા માણેક અને બાદમાં દેબોલિના. દર્શકોના મનમાં એ પણ સવાલ છે કે સાથ નિભાના..2માં કોણ ગોપી વહુ બનશે.
તો તમને જણાવી દઇએ કે, સાથ નિભાના સાથિયામાં દેબોલિના જ ગોપી વહુનુ પાત્ર ભજવવાની છે. તેણે ટીઝરનો વીડિયો શૅર કરતા લખ્યું કે, પોપ્યુલર ડિમાન્ડ બાદ અમે પાછા આવ્યા છીએ. તેણે ટીઝરમાં પીન્ક કલરની સાડી પહેરી છે જ્યારે તે ઘરેણા વિશે વાત કરી રહી છે. આ ટીઝરમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. શો 3 વર્ષ બાદ પરત આવી રહ્યો છે.
સાથ નિભાના સાથિયા 2017માં ઓફ એર થઇ ગયો હતો પરંતુ હાલમાં રસોડેમે કોન થાની જબરજસ્ત પોપ્યુલારિટીને લઇને મેકર્સે ફરીથી શૉ શરૂ કરવાની ઇચ્છા પ્રકટ કરી હતી. આ શૉમાં પહેલા ગોપી વહુના પાત્રમાં જીયા માણેક હતી. બાદમાં તે પણ ચર્ચા થવા લાગી કે નવા શૉમાં કોણ ગોપી વહુ હશે. ત્યારે તે નક્કી થઇ ગયુ છે કે દેબોલિના જ નવી ગોપી વહુ હશે.
શૉના પ્રોડ્યુસર રશ્મિ શર્માએ હાલમાં જ જણાવ્યું કે, લૉકડાઉનમાં આ શૉને ખૂબ જોવામાં આવ્યો છે. આ શૉ 2010માં લોન્ચ થયો હતો અને 2017માં ઓફ એર થયો. નવા શૉમાં પાત્રો અલગ હશે પણ પરિવાર તો એ જ રહેશે.
શું છે રસોડે મેં કોન થા?
સ્ટાર પ્લસની સિરીયલ સાથ નિભાના સાથિયાના મેઇન કેરેક્ટર કોકિલાબેન, ગોપી વહુ અને રાશિ વચ્ચેનો આ સંવાદ છે. જેમાં રાશિ કુકરમાંથી ચણા કાઢીને ખાલી કુકર ગેસ પર ચડાવી દે છે. જેનાથી નારાજ કોકિલા બેન ગોપી વહુને સખ્તીથી પૂછપરછ કરી રહ્યાં છે કે જ્યારે હું નાહવા ગઇ હતી તો રસોડામાં કોણ હતું, હું હતી, તું હતી કોણ હતું, બાદમાં ગભરાયેલી ગોપી વહુ કહે છે રાશિબેન હતા. આ ડાયલોગને યશરાજ મુખાતે નામના સિંગર અને કંપોઝરે મ્યૂઝિક વીડિયો બનાવીને સોશ્યલ મિડીયા પર અપલોડ કર્યો હતો. જે રાતોરાત વાયરલ થઇ ગયો હતો.
આ વાત પર ફેન્સ ફની કમેન્ટ કરી રહ્યાં છે, કોઇક કહી રહ્યું છે કે કોકિલાબેનના ઓર્ડરથી કોણ હતું, તો બીજાએ લખ્યુ રસોડેમે જોન થા. તો કોઇએ લખ્યુ કે રાશીની રસોડા સ્કિલ થોડી જૂની હતી એટલે કોકિલાબેન નારાજ છે.
આ પહેલા કટપ્પાને બાહુબલી કો ક્યું મારા આ ડાયલોગ ખૂબ વાયરલ થયો હતો અને સોશ્યલ મિડીયા પર મિમ્સનો વરસાદ થઇ ગયો હતો.