હિમાલયની ગિરિમાળા વિના ભારતની ઓળખ અધૂરી છે. હિમાલયનાં અનેક ઊંચાં શિખરો બારેમાસ બરફથી છવાયેલાં રહે છે. જોકે તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ એવરેસ્ટ ક્ષેત્ર સહિત સમગ્ર હિમાલયની ઉંચાઇવાળા સ્થળોએ નવા છોડ ઊગવાનું શરૂ થયું છે. જયાં પહેલાં તેનું નામોનિશાન હતું નહીં. સંશોધનકારોએ હિમાલયમાં થયેલા ફેરફારને જાણવા ૧૯૯૩થી ૨૦૧૮ દરમિયાનના સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ સંશોધનનાં પરિણામો ગ્લોબલ ચેન્જ બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયા છે.
હિમાલયમાં ઉપનાઇવલ મેખલા ટ્રીલાઇન અને સ્નોલાઇન વચ્ચેનો વિસ્તાર સૂચવે છે, એટલે કે બરફથી ઢંકાયેલા અને વૃક્ષોવાળા વિસ્તારની વચ્ચેનો ભાગમાં નાના છોડ અને ઘાસ ઊગે છે. સંશોધનના ટીમ લીડર અને યુકેની યુનિવર્સિટી એક્સેટરના ડો. કેરેન એન્ડરસનના જણાવ્યા મુજબ ૫,૦૦૦ મીટર અને ૫૫૦૦ મીટરની ઉંચાઇએ નવા છોડ જોવા મળ્યા છે. આ સંશોધન નાસાની લેન્ડસેટ ઉપગ્રહના ૪૧૫૦ મીટર અને ૬૦૦૦ મીટર ઊંચાઈને આવરી લેતા ડેટાના આધારે કરવામાં આવ્યું છે. જેમાં હિમાલયના પૂર્વમાં મ્યાનમારથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધીના હિંદુ કુશ હિમાલયનાં જુદાં જુદાં સ્થળો આવરી લેવામાં આવ્યાં છે. સેટેલાઇ ડેટા મુજબ સ્પષ્ટ જણાય છે કે હિમાલય ક્ષેત્રમાં વિવિધ ઉંચાઇવાળાં વિસ્તારમાં વન્ય સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
હિમાલયમાં હિમ નદીઓ અને નદીઓ પર કામ કરતા અન્ય સંશોધનકારો અને વિજ્ઞાનીઓએ પણ હિમાલયમાં છોડ વધુ ઊગી રહ્યા હોવાનું જણાવ્યું છે. નેધરલેન્ડની યુનિવર્સિટીના પ્રો.વોલ્ટર એમર્ઝિએલે જણાવ્યું હતું કે "એક્ઝેટર યુનિવર્સિટીનું સંશોધન હિમાલયમાં ગરમ અને ભેજવાળીથી થતાં ફેરફાર સૂચવે છે. તેમણે કહ્યું, આ એક ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે જ્યાં સ્નોલાઇન છે. જો કે, આ સંશોધનમાં ઉંચાઇ પર નવા છોડ કેમ ઊગવાનું ચાલું થયું તેના કારણોની જાણકારી અપાઇ નથી. અન્ય સંશોધન દર્શાવે છે કે હિમાલયની ઇકોસિસ્ટમ્સ વનસ્પતિના પરિવર્તન માટે ખૂબ સંવેદનશીલ છે.
નેપાળમાં ત્રિભુવન યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર વિભાગના સહાયક પ્રોફેસર અચ્યુત તિવારીના જણાવ્યા અનુસાર તાપમાનમાં વૃદ્ધિ સાથે નેપાળ અને ચીનના તરાઇ પ્રદેશોમાં અમને નવા વૃક્ષો જોવા મળી રહ્યા છે જે પહેલા કયારેય પણ જોવા મળતા ન હતા. જો નીચાણવાળા વિસ્તારોમાં આ શક્ય છે, તો દેખીતી રીતે. જ્યારે ઉંચાઇ પર પણ તાપમાનમાં વધારો થાય ત્યારે તેની ઇકોસિસ્ટમમાં ફેરફાર થશે.
હિમાલયની નિયમિત મુલાકાત લેનારા કેટલાક વિજ્ઞાનીએ વન્ય વિસ્તાર વધી રહ્યો હોવાના અહેવાલને સમર્થન કર્યું છે. પ્રોફેસર અચ્યુત તિવારીનું સંશોધન "ટ્રી-લાઇન ડાયનેમિક ઇન હિમાલય" નામથી એક જર્નલમાં પ્રકાશિત થયું છે.
લગભગ ૪૦ હવે ખરેખર એવા વિસ્તારોમાં ઊગી રહ્યા છે જ્યાં એક સમયે ગ્લેશિયરની ચાદર પથરાયેલી હતી.તેમણે કહ્યું, કેટલીક જગ્યાએ જ્યાં ઘણા વર્ષો પહેલા સ્પષ્ટ હિમ નદીઓ હતી ત્યાં હવે માત્ર પથ્થરો દેખાય છે.તેના પર હવે શેવાળ, અને ફૂલો જોવા મળે છે. આટલી ઉંચાઇએ થતાં વિવિધ છોડ વિશે ઓછી માહિતી છે. કેમકે મોટાભાગના વૈજ્ઞાનિક અભ્યાસ અથવા તો રિસર્ચ ગ્લેશિયરો પર કેન્દ્રિત છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલયના ગાયબ થઇ રહેલા ગ્લેશિયર વધુ ચિંતાનો વિષય છે. તાપમાનને કારણે પીછેહઠ કરનારા ગ્લેશિયર્સ અને ગ્લેશિયર તળાવોના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સંશોધનકારો કહે છે કે હિમાલયમાં ઉંચાઇ પર ઉગતી વનસ્પતિ પરના વિગતવાર અભ્યાસ માટે, તે જાણવું મહત્વપૂર્ણ છે કે કોઇપણ છોડ જમીન અને બરફ સાથે કેવી રીતે સંપર્ક કરે છે અને કેવી પ્રતિક્રિયા આપે છે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે વનસ્પતિમાં થતાં આ ફેરફારનો તે ક્ષેત્રમાં પાણીના ગુણધર્મ સાથે શું સંબંધ છે? તેમણે કહ્યું આ ફેરફારથી ગ્લેશિયર્સ ઓગળવાનું બંધ થશે કે પછી ઓગળવાની ગતિ વધશે? આવા પ્રશ્નોના ઉત્તર મેળવવા હજુ વધુ સંશોધનો જરૂરી છે. જોકે વિજ્ઞાનીઓ એક વાતે સહમત છે કે આ શોધ અત્યંત મહત્વપુર્ણ સાબિત થશે.
તેમનું કહેવું છે જળવિજ્ઞાન સંબંધી અસરોનો અભ્યાસ કરવો પણ રસપ્રદ રહેશે કારણ કે વધુ ઉંચાઇએ વધુ વનસ્પતિનો વધુ બાષ્પીભવન છે બાષ્પીભવન એ પ્રક્રિયા છે. જેમાં પાણી જમીનમાંથી વાતાવરણમાં વરાળ સ્વરુપે ભળતું રહે છે. તાપમાનમાં વધારાને કારણે પણ બાષ્પીભવન વધે છે.તેથી નદીઓમાં પાણીનો પ્રવાહ પણ ઓછો થઇ રહ્યો છે. હિંદુ કુશ હિમાલયનો વિસ્તાર પૂર્વમાં મ્યાનમારથી પશ્ચિમના અફઘાનિસ્તાન સુધીના આઠ દેશોમાં ફેલાયેલો છે. આ ક્ષેત્રના ૧૪૦ કરોડથી વધુ લોકો પાણી માટે હિમાલયમાંતી નીકળતી નદીઓ પર નિર્ભર છે.