સત્તાધારના મહંત જીવરાજ બાપુ 93 વર્ષની ઉંમરે ગઇકાલે દેવલોક પામ્યા છે. મહંત જીવરાજબાપુ દેવલોક પામતાં સમગ્ર વિસાવદર શહેરમાં શોકનો મોજુ ફરી વળતા આજે વિસાવદરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.
વિશ્વવિભૂતિ સંત શામજી બાપુના શિષ્ય જીવરાજ બાપુ છેલ્લા ઘણા સમયથી બિમારીથી પીડાઈ રહ્યા હતાં. જ્યારે ગઇકાલે રાત્રે 10 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સતાધારના મહંત જીવરાજબાપુ દેવલોક પામતાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે સમગ્ર વિસાવદરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.
જીવરાજબાપુ સતાધારના 7મા મહંત હતાં. છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જ્યારે ગઇકાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જીવરાજ બાપુને સતાધારની જગ્યામાં સમાધિ અપાશે.
મહંત જીવરાજ બાપુનું નિધન થતા સમગ્ર ગુજરાતમાંથી ભક્તો સતાધાર તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં લાખોની સંખ્યામાં છે સત્તાધાર મહંતના અનુયાયીઓ છે. ગાયોની સેવા માટે ગૌશાળામાં જ બાપુ રહેતા હતાં. 1982થી જીવરાજ બાપુને મહંત બનાવવામાં આવ્યા હતાં.