હાલમાં જ ટીવી એક્ટ્રેસ લીના આચાર્યનું કિડની ફેલ થવાને કારણે નિધન થયું હતું અને હવે મનોરંજન જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. 'સસુરાલ સિમર કા' ફેમ એક્ટર આશિષ રોયનું નિધન થઈ ગયું છે. આશિષ રોયનું પણ કિડનીની સમસ્યાને કારણે નિધન થઈ ગયું છે.
મનોરંજન જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા
સસુરાલ સિમર કા' ફેમ એક્ટર આશિષ રોયનું નિધન
આશિષ કિડનીની સમસ્યાથી પીડિત હતા
'સસુરલ સિમર કા', 'બનેગી અપની બાત', 'બ્યોમકેશ બક્ષી', 'યસ બોસ', 'બા બહુ ઔર બેબી', 'મેરે અંગને મેં', 'કુછ રંગ પ્યાર કે એસે ભી' અને 'આરંભ' જેવા ડઝનેક ટેલિવિઝન શોઝમાં કામ કરનાર અભિનેતા આશિષ રોય લાંબા સમયથી બીમાર હતા. તેઓ 55 વર્ષના હતા.
અભિનેતા આશિષ રોય પણ આર્થિક તંગીના કારણે તેમની સારવાર યોગ્ય રીતે કરાવી શક્યા નહીં. આશિષ રોયની બે કિડની ફેલ ગઈ હતી. તેમણે સોશિયલ મીડિયા પર લોકોને મદદ માટે અપીલ પણ કરી હતી. આશિષ રોયના નિધનથી બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોક છે.
ઉલ્લેખનીય છે કે, આશિષ રોયને બે વાર લકવાનો સ્ટ્રોક આવી ચૂક્યો હતો. ગયા વર્ષથી તેમના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ચાલી રહી હતી. પરંતુ આ વર્ષે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું એકલો છું, એટલે મુશ્કેલીઓ થાય છે. મેં લગ્ન નથી કર્યા. જીવન સરળ નથી. તેણે કહ્યું કે મને લાગે છે કે હું મારી બહેનની પાસે કોલકાતા શિફ્ટ થઈ જઈશ. ઈન્ડસ્ટ્રીમાં મને કોઈ તો કામ આપશે, નહીંતર તમને ખબર છે કે, શું થશે.
આર્થિક તંગીનો સામનો કરી રહેલાં આશિષે ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે સવારની કોફી ખાંડ વગરની છે. આ સ્મિત મજબૂરીમાં છે ભગવાન મને ઉઠાવી લે. થોડાં સમય પહેલાં આશિષે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 2019માં લકવાગ્રસ્ત થયા પછી તેઓ સાજા થયા હતા, પરંતુ તેમને કોઈ કામ મળ્યું નહીં અને તેના કારણે પોતાની સેવિંગ પર તેમણે ગુજરાન ચલાવ્યું. પરંતુ ધીરે ધીરે એ પણ ખતમ થઈ ગઈ.