છેલ્લા 4 મહિનામાં આ બીજી વખત બન્યું છે કે જ્યારે અર્ધસૈનિક જવાનોનો પગાર રોકી દેવામાં આવ્યો હોય. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ સીઆરપીએફના 3 લાખ જવાનોના 3600 રૂપિયાના રાશન ભથ્થાને રોકી દેવામાં આવ્યું હતું.
મંદીની અસર સીમા પર પહોંચી
સીમાના જવાનોને સરકારનો મોટો ઝટકો
નહીં મળે 2 મહિનાનો પગાર અને ભથ્થા
દેશમાં જોવા મળી રહી છે આર્થિક મંદી
દેશમાં આર્થિક સુસ્તીની અસર શું સીમા પરના જવાનો પર પડી રહી છે. સીમા પર તૈનાત સશસ્ત્ર સીમા બળના 90000 કર્મીઓના સરકાર તરફથી મળતા ભથ્થાને રોકી દેવામાં આવ્યા છે. ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર સૈન્ય કર્મીઓને મળનારા ચાઈલ્ડ એજ્યુકેશન ભથ્થાને પણ આપવામાં આવ્યા નથી.
સરકાર આપી રહી છે આ કારણ
સીમાના જવાનોને ભથ્થા ન આપી શકવાને માટે સરકારે ફંડની અછતને જવાબદાર ગણાવી છે. સીમા બળને પણ આ માટે જાણકારી આપવામાં આવી છે તેમની પાસે 12 મહિનાના પગાર આપવાના પણ રૂપિયા નથી. ભલે સરકાર આર્થિક સુસ્તીની વાતથી ફરી જાય પણ બજેટ નજીક આવવાની સાથે આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
છેલ્લા 4 મહિનામાં બીજી વખત નથી આપવામાં આવી રહ્યા રૂપિયા
મળતી માહિતી અનુસાર 4 મહિનામાં આ બીજો અવસર છે જ્યારે સીઆરપીએફના જવાનોને રૂપિયા આપવામાં આવી રહ્યા નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સીઆરપીએફના 3 લાખ જવાનોને 3600 રૂપિયાનું રાશન ભથ્થું આપવાનું રોકી દેવાયું છે. આનું કારણ હતું કે ગૃહ મંત્રાલયે ફંડની અછતના કારણે ત્રણ રિમાઈન્ડરને ઈગ્નોર કરી હીધા છે.
સેનાના કુલ જવાનોની સંખ્યાખી પણ માહિતગાર ન હતું તંત્ર
જ્યારે વિવાદ વધ્યો ત્યારે ઓક્ટોબર મહિનામાં ફંડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ખ્યાલ આવ્યો કે સશસ્ત્ર સીમા બળમાં 94261 કર્મચારીઓ છે. આ લોકો નેપાળ અને ભૂટાનની પાસે આવેલા 2450 કિલોમીટરની સીમાની દેખરેખ કરે છે. મળતી માહિતી અનુસાર 23 જાન્યુઆરીએ જાહેર કરાયેલા પત્ર અનુસાર એસએસબીના જવાનોને પણ દરેક પ્રકારના 2 મહિનાના ભથ્થા નહીં આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ચાઈલ્ડ એજ્યુકેશન ભથ્થું અને લીવ ટ્રાવેલ કન્સેશન પણ સામેલ છે.