25 સપ્ટેમ્બરે એટલેકે રવિવારે સર્વ પિતૃ અમાસ છે એટલેકે પિતૃ પક્ષ સમાપ્ત થઇ રહ્યો છે. આ દિવસે એવા બધા પિતૃઓનુ શ્રાદ્ધ કરવાનો નિયમ છે, જેની મૃત્યુ તિથિ વિશે જાણકારી હોતી નથી. આ દિવસે જો તમે પિતૃઓને સંપૂર્ણ શ્રદ્ધા સાથે વિદાય કરશો તો તમારા જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધી આવશે.
આવતીકાલે સર્વ પિતૃ અમાસ
પિતૃ પક્ષ દરમ્યાન તર્પણ ના થયુ તો કાલે કરી શકશો
પિતૃઓને પ્રસન્ન કરીને કેવીરીતે વિદાય આપશો?
સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓને કેવીરીતે આપશો વિદાય?
હિંદુ પંચાગ મુજબ પિતૃ પક્ષ એટલેકે શ્રાદ્ધ પક્ષનુ ખૂબ મહત્વ હોય છે. આ 15-16 દિવસમાં લોકો પોતાના પૂર્વજોને યાદ કરે છે. આ સાથે પિતૃઓનુ શ્રાદ્ધ કર્મ કરે છે. સન્માનની સાથે શ્રાદ્ધ કરીને પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા કરે છે. પોતાના શ્રદ્ધા-ભાવની સાથે પૂર્વજોને યાદ કરવાથી તેઓ પોતાની કૃપા દ્રષ્ટિ ઘર-પરિવાર પર બનાવી રાખે છે. જાણો, સર્વપિતૃ અમાસ પર પિતૃઓને પ્રસન્ન કરીને વિદાય આપવાના ઉપાય.
તર્પણ કરવુ
કોઈ કારણોસર તમે આખા પિતૃ પક્ષ દરમ્યાન તર્પણ કરી શકતા નથી તો સર્વપિતૃ અમાસ આખા 15 દિવસનુ ફળ આપવાનો દિવસ છે. આ દિવસે જો તમે તર્પણ કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેેતી નથી.
પીપળાના ઝાડની પૂજા
ગરૂડ પુરાણ મુજબ સર્વપિતૃ અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજાનુ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સવારે જલ્દી ઉઠીને પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને શુભ આશીર્વાદ આપે છે.
દાનનુ છે મહત્વ
આમ તો દાનને આખા વર્ષમાં યજ્ઞ બરાબર ફળ આપનારું માનવામાં આવ્યું છે. પરંતુ સર્વપિતૃ અમાસના દિવસે દાનનુ મહત્વ ઘણુ વધારે માનવામાં આવે છે. આ દિવસે દાન કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. નિયમ મુજબ, આ દિવસે ચાંદીનુ દાન કરવુ વધુ ફળદાયી માનવામાં આવે છે.
બ્રાહ્મણોને ભોજન કરાવો
જો તમે પોતાના પૂર્વજોની તિથિ પર બ્રાહ્મણ ભોજ કરાવી શકતા નથી તો સર્વપિતૃ અમાસના દિવસે પૂર્વજોના નામે બ્રાહ્મણોને ભોજન કરાવો. આમ કરવાથી કમી ક્યારેય થતી નથી.