બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / sarva pitru amavasya 2022 time and date shubh muhurat know what to do and what not on amavasya

Pitru Paksha 2022 / પિતૃઓને વિદાય આપવા માટે અત્યંત શ્રેષ્ઠ છે સર્વપિતૃ અમાસ, આ દિવસે આ બાબતો ભૂલથી પણ ના દોહરાવતા

Premal

Last Updated: 07:19 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતૃ પક્ષની શરૂઆત ભાદરવી પૂનમથી થાય છે અને આસોની અમાસે સમાપન થાય છે. આ દિવસે પિતૃઓને વિદાય આપવામાં આવે છે. જાણો આ દિવસે શું કરવુ જોઈએ અને શું નહીં.

  • ક્યારે આવે છે સર્વપિતૃ અમાસ?
  • આ દિવસે અમુક બાબતોનુ પાલન કરશો તો પિતૃઓ થશે પ્રસન્ન 
  • પિતૃઓ પ્રસન્ન થતા જ વંશજોને ખૂબ આશીર્વાદ આપે છે 

ક્યારે છે સર્વપિતૃ અમાસ

પિતૃ પક્ષની શરૂઆત 10 સપ્ટેબરથી થઇ છે. 16 દિવસ સુધી ચાલતા પિતૃ પક્ષનુ સમાપન 25 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે થશે. આ અમાસને મહાલય અમાવસ્યાના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે પિતૃઓને પિંડદાન, તર્પણ અને દાન વગેરેનો છેલ્લો દિવસ હોય છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે પિતૃઓને વિદાય આપવા, વિશેષ પૂજા-પાઠ અને નિયમોનુ પાલન કરવાથી પિતૃઓને પ્રસન્ન થઇ પોતાના લોક જાય છે અને વંશજોને ખૂબ આશીર્વાદ આપે છે. જાણો સર્વપિતૃ અમાસનુ શુભ મુહૂર્ત, મહત્વ અને આ દિવસે શું કરવુ જોઈએ અને શું ના કરવુ જોઈએ. 

સર્વપિતૃ અમાસ 2022 તિથિ મુહૂર્ત 

હિન્દુ પંચાગ મુજબ આ વખતે સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર 2022ના દિવસે આવી રહી છે. તિથિનો આરંભ સવારે 3 વાગ્યાથી 11 મિનિટથી લઇને 26 સપ્ટેમ્બર 2022 સોમવારે સવારે 3 વાગ્યેને 22 મિનિટ સુધી છે. એવામાં 25 સપ્ટેમ્બરે પિતૃઓને વિદાય આપવામાં આવશે.

સર્વપિતૃ અમાસના દિવસે શું કરશો અને શું નહીં

આસો મહિનાની અમાસ પિતૃ પક્ષનો અંતિમ દિવસ હોય છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે પિતૃઓને વિદાય આપવામાં આવે છે. તેથી સર્વપિતૃ અમાસના નામથી પણ જાણવામાં આવે છે. આ દિવસે તર્પણ કરવુ આવશ્યક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે ઘર આવેલા કોઈ ગરીબ અથવા જરૂરીયાતમંદને ખાલી હાથે મોકલવા ના જોઈએ. તેને અમુક પૈસા, અન્ન, વસ્ત્ર વગેરેનુ દાન અવશ્ય કરવુ જોઈએ.

આ ભૂલથી પણ ના કરતા

પિતૃ પક્ષના છેલ્લાં દિવસે માંસ-મદિરાનુ સેવન ભૂલથી પણ ના કરવુ જોઈએ. આમ કરવાથી પિતૃ દોષનો સામનો કરવો પડી શકે છે. સર્વપિતૃ અમાસના દિવસે અજાણતા થયેલી ભૂલ માટે ભગવાન પાસે ક્ષમા માંગી લો અને એવુ કોઈ કાર્ય ના કરશો જેનાથી પિતૃઓ નારાજ થાય. માન્યતા છે કે પિતૃઓને પ્રસન્ન કરીને વિદાય આપવી જોઈએ. કારણકે જતી વખતે ઘણા આશીર્વાદ વંશજોને આપીને જાય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Paksha 2022 Sarva Pitru Amavasya 2022 Shubh muhurat pitru dosh Pitru Paksha 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ