સોમાસર ગામના સરપંચ પર મનરેગા યોજનાના કામમાં 2 કરોડના ભ્રષ્ટાચારનો ગામના જ એક નાગરિકે આક્ષેપ લગાવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સોમાસર ગામમાં મનરેગા યોજનાના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
મુળીના સોમાસર ગામના સરપંચ પર 2 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ
ગામના જ એક નાગરિકે વીડિયો બનાવીને તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી યોજનામાં ગેરરીતિ થયાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના સોમાસર ગામમાં મનરેગા યોજનાના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
અગાઉ TDO અને DDOને પણ આ મામલે રજૂઆત કરાઇ હતી
સુરેન્દ્રનગરના મૂળીના સોમાસર ગામના સરપંચ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અગાઉ TDO અને DDOને પણ આ સમગ્ર મામલે રજૂઆત કરાઇ હતી. સરપંચ પર ખોટા જોબ કાર્ડ કરવા, નોકરી કરતા માણસોના નામે નાણા ઉપાડવા જેવો આરોપ લાગ્યો છે.
ગામના જ એક નાગરિકે વીડિયો બનાવીને તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા
મનરેગા યોજના અંતર્ગત સોમાસરમાં અંદાજે 2 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે. અરજદારે મૂળી પોલીસ મથકે અરજી આપીને ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠી છે. ગામના જ એક નાગરિકે વીડિયો બનાવીને તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.
જેના ઘરે ગાડીઓ-વાડીઓ અને પચાસ-પચાસ લાખના મકાન છે તેમના સરપંચે જોબકાર્ડ બનાવ્યા
ગામના નાગરિકે વીડિયો વાયરલ કરીને વીડિયોમાં કહ્યું છે કે, 'મનરેગામાં અંદાજિત 2 કરોડનો ભ્રષ્ટાચાર થયેલ છે. છેલ્લાં 5-6 મહિનાથી અમે તંત્રને તેની વારંવાર રજૂઆત કરી છે. છતાં તંત્રએ આ મામલે આજ દિન સુધી કોઇ કાર્યવાહી કરી નથી. સરકારના ઉમદા હેતુથી મનરેગાના કામો સોમાસર ગામમાં સોંપવામાં આવ્યા હતા પણ સોમાસરની અંદર જે ખેતમજૂર છે તેના કોઇ જોબકાર્ડ નથી બનાવ્યા પરંતુ જેના ઘરે ગાડીઓ અને ટ્રેક્ટર, વાડીઓ અને પચાસ-પચાસ લાખના મકાન છે તેમના સરપંચે જોબકાર્ડ બનાવ્યા છે. તેમજ સરપંચે એના સગાં-વ્હાલા કે જેઓ બહારગામ રહે છે તેમના પણ જોબકાર્ડ બનાવી ખાનગી પેઢીમાં જોબકાર્ડના ખાતેદારોના ખાતા ખોલાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે.'