ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી જાણકારીથી ગત વર્ષ 2019-20માં 18 સરકારી બેંકો દ્વારા કુલ 1,48, 428 કરોડની છેતરપિંડીના 12, 461 કેસ સામે આવ્યા છે. આરીટીઆઈ, માહિતી અધિકાર એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડે પીટીઆઈને જણાવ્યું કે આરબીઆઈએ તેમને આરટીઆઈ હેઠળ આ માહિતી આપી છે.
એસબીઆઈમાં 44,612.93 કરોડ રુપિયાની છેતરપિંડી થઈ
દરમિયાન 18 સરકારી બેંકોમાં થયેલી છેતરપિંડીની રકમના 30 ટકા એસબીઆઈના છે
8 સરકારી બેંકો દ્વારા કુલ 1,48, 428 કરોડની છેતરપિંડીં
રિઝર્વ બેંક તરફથી આરટીઆઈ હેઠળ મળેલી માહિતીમાં છેતરપિંડીના કેસની પ્રકૃતિ અને છેતરપિંડીનો શિકાર તત્કાલીન 18 સરકારી બેંકો અથવા તેમના ગ્રાહકોને થયેલા નુકશાનનું વિશિષ્ટ વિવરણ આપવામા આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષોમાં તબક્કાવારના એકીકરણથી હાલમાં12 સરકારી બેંકો બચી છે.
કઈ બેંકમાં સૌથી વઘારે છેતરપિંડી થઈ
ગત વર્ષમાં સૌથી વધારે ભોગ મુખ્ય સરકારી બેંક એસબીઆઈ એટલે કે ભારતીય સ્ટેટ બેંક બની છે. આ સમય દરમિયાન એસબીઆઈમાં 44,612.93 કરોડ રુપિયાની છેતરપિંડી થઈ છે.જે સાથે સંકળાયેલા 6,964 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ રકમ ગત વર્ષ દરમિયાન 18 સરકારી બેંકોમાં થયેલી છેતરપિંડીની રકમના 30 ટકા છે.
પંજાબ નેશનલ બેંક દ્વારા એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 દરમિયાન 395 કેસ નોંધાયા હતા. જેમાં 15, 354 કરોડની છેતરપિંડી થઈ હતી. ત્રીજા નંબરે બેંક ઓફ બરોડા છે જેમાં 349 કેસ સાથે 12,586.68 કરોડની છેતરપિંડી થઈ છે. ઉલ્લેખનીય છે કે બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકનું મર્જર 1 એપ્રિલ 2019માં થયું .
આ સમય દરમિયાન યૂનિયન બેંક ઓફ ઇન્ડિયામાં 424 કેસમાં 9,316.80 કરોડ, બેંક ઓફ ઈન્ડિયાના 200 કેસમાં 8,069.14 કરોડ, કેનરા બેંકમાં 208 કેસમાં 7,519.30કરોડ, ઈન્ડિયાન ઓવર્સીજ બેંકના 207 કેસમાં 7,275.48 કરોડ, અલ્હાબાદ બેંકના 896 કેસમાં 6,973.90 કરોડ અને યૂકો બેંકના 119 કેસમાં 5,384.53 કરોડનું ફ્રોડ થયું છે.
1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020ના સમય દરમિયાન ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સના 329 કેસમાં 5,340.87 કરોડ, સિન્ડિકેટ બેંકના 438 કેસમાં 4,999.03 કરોડ, કોર્પેરેશન બેંકના 125 કેસમાં 4,816.60 કરોડ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના 900 કેસમાં 3,993.82 કરોડ, આંઘ્રા બેંકમાં 115 કેસમાં 3,462.32 કરોડ, બેંક ઓફ મહારાષ્ટ્રના 413 કેસમાં 3,391.13 કરોડ રુપિયા, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના 87 કેસમાં 2,679.72 કરોડ, ઈન્ડિયન બેંકના 225 કેસમાં 2,254.11 કરોડ તથા પંજાબ અને સિંધ બેંકના 67 કેસમાં 397. 28 કરોડ રુપિયાની છેતરપિંડી થયાની માહિતી આરબીઆઈએ આપી હતી.