શ્રીલંકાની સામે T-20 સીરિઝમાં શરમજનક હાર થતા કેપ્ટન સરફરાઝ અહમદ પર લોકોનો ગુસ્સો વધી ગયો છે. છેવટે 32 વર્ષના સરફરાઝ ના કેપ્ટન્સી ગુમાવી પડી. એટલું જ નહી વિકેટકીપર બેટ્સમેન સરફરાઝના ટેસ્ટ અને T-20 બંને ફોર્મેટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ગત કેટલીક સીરિઝ દરમિયાન ઑવરઑલ ફોર્મ પણ ઠીક રહ્યો હતો.
ટેસ્ટમાં અઝહર અલી અને T-20 માં બાબર આઝમ હશે પાકિસ્તાનના કેપ્ટન
પાકિસ્તાન બોર્ડ (PCB) એ અઝહર અલીએ 2019-20 સત્રમાં પાકિસ્તાનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશપ મેચો માટે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામા આવ્યો છે, જ્યારે બાબર આઝમને આગામી વર્ષના ICC T-20 વર્લ્ડ કપ (ઓસ્ટ્રેલિયા-2020 ) સુધી T-20 ઇન્ટરનેશનલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યે છે.
PCB એ વનડે માટે કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી નથી. આ સાથે જ અન્ય ફોર્મેટમાં વાઇસકેપ્ટનની પણ જાહેરાત કરવામા આવી નથી. બોર્ડ દ્વારા કહેવામા આવ્યુ છે કે, ''વાઇસ કેપ્ટન્સી પર નિર્ણય સીરિઝનો સમય નજીક આવતા કરવામાં આવશે, જ્યારે વનડે કેપ્ટનની જાહેરાત નેધરલેન્ડ પ્રવાસના પહેલા કરવામાં આવશે. પાકિસ્તાનની ટીમ 4-9 જૂલાઇ 2020 સુધી નેધરલેન્ડ્સ વિરુદ્ઘ અમસ્ટેલવીનમાં 3 મેચની વનડે સીરિઝ રમશે.''
કેપ્ટન્સીને લઇને 34 વર્ષના બેટ્સમેન અઝહર અલી ઘણો ઉત્સાહિત છે. તેણે કહ્યુ કે, ''પાકિસ્તાનની કેપ્ટન્સી કંઇ મોટી વાત નથી.'' તો 25 વર્ષના બેટ્સમેન બાબર આઝમે કહ્યુ કે, ''T-20 ઇન્ટરનેશનલમાં નંબર 1 ટીમનો કેપ્ટન પસંદ થવું મારા કરિયરની આજ સુધીની સૌથી મોટી વાત છે. હું આ પડકાર માટે તૈયાર છું.''
JUST IN: Sarfaraz Ahmed has been removed as Pakistan's Test and T20I captain. Azhar Ali and Babar Azam will replace him. pic.twitter.com/3OhXWYbrCG
32 વર્ષની વિકેટકીપર બેટ્સમેન સરફરાઝ મિસ્બાહ ઉલ હકના સંન્યાસ લીધા પછી કેપ્ટન્સી કરી હતી. મિસ્બાહ અત્યાર સુધી પાકિસ્તાનની પુરુષ ટીમના મુખ્ય કોચ અને મુખ્ય સિલેક્ટર્સ છે. સરફરાઝે 13 ટેસ્ટ ટીમ માટે કેપ્ટન્સી કરી હતી. સરફરાઝની કેપ્ટન્સીમાં 4 મેચ જીત્યા અને 8 મેચ હાર્યા હતા. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ ઝહીર અબ્બાસ, મોહસિન ખાન અને શાહિદ અફરિદીએ પણ બોર્ડને સરફરાઝની કેપ્ટન્સી લઇ લેવાની સલાહ આપી હતી.
શ્રીલંકાની ટીમ 3-0 થી હરાવ્યુ:
ઇંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ કપ ટીમમાં પાકિસ્તાન ટીમને ફોર્મ ઘણુ ખરાબ રહ્યુ. ત્યારથી સરફરાઝને હટાવવાની વાત થઇ હરી હતી. તમને જણાવી દઇએ કે, શ્રીલંકાની નબળી ટીમ ( એક રીતે B ક્રિકેટ ટીમ) ના હાથે T-20 મેચની સીરિઝમાં પાકિસ્તાનની હાર પછી હંગામો થયા.ખેલાડીઓથી લઇને કોસ મિસ્બાહ ઉલ હક, તમામની ટીકા થઇ. શ્રીલંકાએ દુનિયાની નંબર એક T-20 ટીમ પાકિસ્તાનને 3 મેચની T-20 સીરિઝમાં 3-0થી હરાવ્યુ.