ગુજરાત આખું કાળઝાળ ગરમીના કારણે શેકાઈ રહ્યું છે અને પ્રજા પરેશાન છે ત્યારે મોડાસા પાસે આવેલ એક ડુંગરમાં આગ લાગવાથી પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિને ખૂબ નુકસાન થયું છે.
અરવલ્લીના ડુંગરમાં લાગી આગ
મોટી સંખ્યામાં વન્યજીવોના મોતની આશંકા
યુવાનોએ દોડીને કાચબાઓને બચાવ્યા
ગુજરાતમાં આગની મોટી ઘટના
અરવલ્લીના મોડાસા પાસે સરડોઈ ડુંગર પાસે ચામુંડા માતાજીના મંદિર પાસે આખા જંગલ વિસ્તારમાં આગ લાગી હતી જે 2 કિમી સુધીનઆ વિસ્તારમાં ફેરવાઇ ગઈ. આગ લાગવાના કારણે વનરાજી બળીને રાખ થઈ ગઈ છે અને આગ લાગવાના કારણને લઈને સ્થાનિકોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
વન્યજીવો અને પર્યાવરણને થયું મોટું નુકસાન
ભયાનક આગના કારણે ડુંગર અને આસપાસના વિસ્તારમાં રહેતા અનેક વન્યજીવો ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં વન્યજીવોના મોત થયા હોવાની આશંકા છે. આ સાથે જ આખા બે કિમી વિસ્તારમાં વનરાજી પણ સમાપ્ત થઈ ગઈ છે. સરડોઈ ડુંગર પાસે લાગેલ આગમાં વન્યજીવોને બચાવવા માટે કેટલાક લોકો દોડી પણ આવ્યા હતા.
યુવાનોએ કાચબાઓના જીવ બચાવ્યા
આગની વચ્ચે કેટલાક યુવાનોએ કાચબા સહિતના અનેક જીવોના જીવ બચાવ્યા હતા, પણ આગ બાદ આખું જ ડુંગર વેરાન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.