સ્વામિનારાણ મંદિરના સ્વામીઓની એક પછી એક પાપલીલા વાયરલ થઈ રહી છે ત્યારે હજુ તો વડતાલના ઘનશ્યામ સ્વામીનો વિવાદ શમ્યો પણ નથી અને ફરીથી એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. સરધાર સ્વામીનારાયણ મંદિરના સંતનો ઓડિયો વાયરલ થયો છે. VTV આ ઓડિયોનું કોઈ સમર્થન કરતું નથી.
નિત્યસ્વરૂપ સ્વામીએ થોડા સમય પહેલા આચાર્ય પક્ષ છોડ્યું હતું
દેવપક્ષમાં આવતા નિત્યસ્વરૂપ સ્વામી આવ્યા વિવાદમાં
ઓડિયોમાં સ્વામીના ડ્રાઇવર, અને સુરતના હરિભક્તની વાત
સરધાર સ્વામીનારાયણના સંતનો ઓડિયો વાયરલ થઈ છે. નિત્યસ્વરૂપ સ્વામીની ત્રણ અલગ-અલગ ઓડિયો વાયરલ થયો છે. નિત્યસ્વરૂપ સ્વામીએ થોડા સમય પહેલા આચાર્ય પક્ષ છોડ્યું હતું. દેવપક્ષમાં આવતા નિત્યસ્વરૂપ સ્વામી વિવાદમાં આવ્યા હતા.
ઓડિયોમાં સ્વામીના ડ્રાઇવર, અને સુરતના હરિભક્તની વાત વાયરલ થઈ છે. સ્વામીના કુકર્મોની વાત આ ઓડિયોમાં કરાઈ રહી છે અને અલગ અલગ ત્રણ ઓડિયો વાયરલ થઈ છે.
બીજા ઓડિયોમાં નિત્યસ્વરૂપના બે પાર્ષદ વચ્ચે વાત થઈ છે.અને ત્રીજા ઓડિયોમાં હરિભક્ત ઘનશ્યામ નાથાનીને સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પોતાના પુત્રને મંદિરમાં સાધુ બનાવ્યો હોવાના કારણે તેઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને તેઓ ધમકી આપી રહ્યા છે કે તમે આ તમામ ખોટા ધંધા બંધ કરો નહીં તો સારું પરિણામ નહીં આવે.