જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચેફ મહેબુબા મુફતીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે.
મહેબુબા મુફતીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
આજે જમ્મુ કાશ્મીરમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો
મોદી સરકાર જમ્મુ કાશ્મીરની ઈકોનોમીને ચોપટ કરવામાં લાગી
મહેબુબા મુફતીએ કહ્યું કે આજે જમ્મુ કાશ્મીરમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. મોદી સરકારે વાયદો કર્યો હતો કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ની નાબૂદી બાદ દૂધ અને ઘીની નદીઓ વહેશે પરંતુ આજે દેશમાં સૌથી વધારે બેરોજગારી દર છે. દેશના 70 મંત્રીઓ અહીં રિબિન કાપવા આવી રહ્યાં છે પરંતુ જે પણ કાર્યોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે તેની શરુઆત મનમોહન સરકારે કરી હતી. હાલની સરકારે કોઈ નવી યોજનાની શરુઆત કરી નથી.
મોદી સરકાર જમ્મુ કાશ્મીરની ઈકોનોમીને ચોપટ કરવામાં લાગી
મુફતીએ કહ્યું કે મોદી સરકાર જમ્મુ કાશ્મીરની ઈકોનોમીને ચોપટ કરવામાં લાગી છે. ખાણ સંબંધી તમામ કામોનો કોન્ટ્રાક્ટ બહારના લોકોને આપવામાં આવી રહ્યો છે. નવી આબકારી નીતિથી જમ્મુના સેંકડો લોકો બેરોજગાર થયા છે.
નહેરુ અને વાજપેયી સરકારની સ્પસ્ટ નીતિ હતી પરંતુ હાલની સરકારને કોઈ આઈડિયા નથી
મુફતીએ કહ્યું કે જમ્મુમાં રિલાયન્સના સ્ટોર્સ ખોલાઈ રહ્યાં છે તેનાથી નાના નાના વેપારીઓની હાલત શું થશે તેની કલ્પના કરી છે. કાશ્મીર પંડિતો આજે રસ્તા પર છે અને દેર મહિને મળનાર રકમ ન મળતા દેખાવ કરી રહ્યાં છે. જમ્મુ કાશ્મીર અંગે નહેરુ અને વાજપેયી સરકારની સ્પસ્ટ નીતિ હતી પરંતુ હાલની સરકારને કોઈ આઈડિયા નથી. આજે અહીં ભ્રષ્ટાચારની બોલબાલા છે. ખાણ માફિયાઓએ રાજ્યને બર્બાદ કરી નાખ્યું છે.
દિલ્હીમાં રહેતા લોકોએ જમ્મુ કાશ્મીરના એક પ્રયોગશાળા કરી મૂકી
મુફતીએ એવું પણ કહ્યુંકે દિલ્હીમાં રહેતા લોકોએ જમ્મુ કાશ્મીરના એક પ્રયોગશાળા કરી મૂકી છે. નહેરુ-વાજપેયી પાસે વિઝન હતું પરંતુ વર્તમાન સરકાર તો હિંદુ-મુસ્લિમને વિભાજીત કરી રહી છે અને હવે સરદાર ખાલિસ્તાના થઈ ગયા છે. અમે તો પાકિસ્તાની છીએ પરંતુ ભાજપવાળા હિંદુસ્તાની છે.