નર્મદા ડેમે ઐતિહાસિક જળસપાટીએ પહોંચ્યો છે. નર્મદાની જળસપાટી 136.74 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 8 લાખ 39 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે.
જેના કારણે 23 દરવાજા 5.24 મીટર ખોલવામાં આવ્યા છે. અને ડેમમાંથી 8 લાખ 9 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે પાણીમાં ડૂબી ગયો છે.
ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે નર્મદા સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર સપાટી 136.74 મીટરે જોવા મળી રહી છે. હાલમાં 8 લાખ 39 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે.
જેને લઇને ડેમના 23 દરવાજા 5.24 મીટર સુધી ખોલી દેવામાં આવ્યાં છે. ડેમના દરવાજા ખોલવામાં આવતાં નિચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યું છે. જ્યારે સાવચેતીના પગલે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે પૂરની સ્થિતિ યથાવત જોવા મળી છે. ગોલ્ડન બ્રિજ પાસે નદીની જળ સપાટી 31.50 ફૂટે પહોંચી છે. જેને લઇને એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તૈનાત કરવામાં આવી છે.
રાજ્યમાં હજી પણ આગામી 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જણાવવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દિવસભર વરસાદી માહોલ જોવા મળશે.