સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમોમાંથી 12 હજાર 229 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.
પાણીની સતત આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમની સપાટી વધીને 127.61 મીટર થઈ છે. હાલમાં નર્મદાની મેઈન કેનાલમાં 19 હજાર 995 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલમાં નર્મદા ડેમમાં 2 877 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો છે. નર્મદા ડેમમાં રાજ્યને પીવા અને સિંચાઇ માટે એક વર્ષ માટે પુરતો જથ્થો ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી ડેમમાં 16 હજાર 161 ક્યુસેક પાણીની આવક થઇ હતી. ત્યારે CHPH પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશના ઉપરવાસમાં ઓછા વરસાદના કારણે સતત બીજા વર્ષે નર્મદા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યો છે. ઓછા વરસાદથી રાજ્યમાં સતત બીજા વર્ષે પાણીની ઘટ રહેશે તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમમાં આ વર્ષે 1 લાખ 44 હજાર કરોડ લીટર પાણીની ઘટ રહેશે. પાણીની ઘટ બાદ હવે ચાલુ વર્ષે સ્ટોક પ્રમાણે રાજ્યના ભાગે 6.80 MAF પાણી આપવામાં આવશે.
રવી સિઝન માટે 4 MAF પાણીની આવશ્યકતા હોય છે. પાણીની ઘટ હોવાના કારણે ઉનાળાની શરૂઆતમાં પાણીની અછત સર્જાઈ શકે છે.