આણંદની સરદાર પટેલ યૂનિ.માં છેક છ વર્ષે સામે આવ્યો જબ્બર આર્થિક ગોટાળો.વિધિવત ફરિયાદ બે દિવસ પછી.
વિદ્યાનગરની એસ.પી.યુનિ.માં કૌભાંડ
એસ.પી.યુનિ.માં 37 કરોડનું કૌભાંડ
કરોડોના કૌભાંડને લઇ ફરિયાદ કરાશે
ચરોતર પંથકની સૌથી મોટી 'રેસીડેન્સીયલ યૂનિવર્સીટી'એટલે સરદાર પટેલ યૂનિવર્સીટી. આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત આ યૂનિ.માં કરોડો રૂપિયાના આર્થિક ગોટાળાની મસમોટી બૂ આવતા ખળભળાટ મચી ગયો છે.જો કે,સતાવાર ફરિયાદ એક બે દિવસમાં થવાની સંભાવનાઓ છે..
મસમોટું કૌભાંડ
આણંદના વિદ્યાનગરની એસ.પી.યુનિવર્સિટીમાં 37 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. વર્ષ 2015માં 29.22 કરોડના હિસાબી ગોટાળા ખુલ્યા હતા. જેમાં એસ.પી.યુનિવર્સિટીના CA કેજી પટેલ, રશ્મિન ગણાત્રાના સમયમાં કૌભાંડ થયા હતા. ત્યારે હિસાબી ગોટાળા સામે આવતા તપાસ કમિટીની રચના કરાઇ હતી. અને 17 સપ્ટેમ્બર સુધી તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ હતો.
6 વર્ષ પછી થયો ખુલાસો
સરદાર પટેલ યૂનિ.માં આટલા મોટા હિસાબી ગોટાળાની અત્યાર સુધી ગંધ સુદ્ધા કોઈને ના આવી તે પણ અચરજભરી વાત છે.છ વર્ષ પહેલા થયેલા આટલા મોટા આર્થિક ગફ્લા પછી આટલે વખતે તપાસ દરમિયાન વધુ 8 કરોડના હિસાબી ગોટાળા ખુલ્યા છે.
વિધિવત ફરિયાદ હવે પછી
બે દિવસ પછી યૂનિ.ના સીન્ડીકેટ સદસ્યોની બેઠક મળશે અને આ બેઠકમાં આર્થિક ગફ્લાનો રીપોર્ટ રજૂ કરવમાં આવશે.આ રીપોર્ટ બાદ વાઇસ ચાન્સેલર કરોડોના ગોટાળા અંગે ફરિયાદ કરશે.