ભારતના લોખંડી પુરૂષ અને એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઇ પટેલની આજે જયંતી છે અને સમગ્ર દેશ તેમને નમન કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલની જયંતી પર તેમને કેવડીયા ખાતે તેમની પ્રતિમા પર પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને નમન કર્યા હતા. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફથી હજુ સુધી સરદાર પટેલને લઇને કોઇ પ્રકારનો કોઇ પ્રતિક્રિયા નથી આવી.
સરદાર પટેલની જન્મજયંતિને લઇ CMએ સાધ્યુ નિશાન
જન્મજયંતિ નિમિત્તે દેશ સરદારને નમન કરી રહ્યો છે: CM રૂપાણી
રાહુલ-સોનિયા ગાંધીનું સરદારને શ્રદ્ધાંજલિ ન આપવું દુઃખદ: CM રૂપાણી
જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીએ હજુ સુધી સરદાર પટેલને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ નથી આપી. જે આરોપ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લગાવ્યો.
સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે જ્યારે સમગ્ર દેશ મહાન સરદાર પટેલને તેમની જયંતિ પર નમન કરી રહ્યો છે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પણ ન આપી એ દુઃખદ છે. સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય ઘરોહરનું આવુ અપમાન સમજથી બહાર.
When entire nation is bowing to the great Sardar Patel on his Jayanti, sad but not surprising to see Congress President Sonia Gandhi & Mr. Rahul Gandhi not having even basic courtesy of paying tributes to the great stalwart! Such contempt for a national icon is beyond belief!
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિરાસતને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિજય રૂપાણી પહેલા કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તરપ્રદેશ પ્રભાર પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરદાર પટેલને કોંગ્રેસના નિષ્ઠાવાન નેતા ગણાવ્યા છે. તેની સાથે જ પ્રિયંકાએ ભાજપ પર સરદાર પટેલને અપનાવવાના પ્રયત્નોના આરોપ લગાવ્યા.
सरदार पटेल कांग्रेस के निष्ठावान नेता थे जो कांग्रेस की विचारधारा के प्रति समर्पित थे। वह जवाहरलाल नेहरू के क़रीबी साथी थे और RSS के सख़्त ख़िलाफ थे। आज भाजपा द्वारा उन्हें अपनाने की कोशिशें करते हुए और उन्हें श्रद्धांजलि देते देख के बहुत ख़ुशी होती है, क्योंकि भाजपा के इस.. 1/2 pic.twitter.com/5yBAsN6VRz