કોરોના જ્યારથી આવ્યો છે ત્યારથી ઘણાના પરિવાર ખંડિત થયા છે. 2020માં બોલીવૂડ સિતારા આ દુનિયામાંથી જતા રહ્યાં અને હવે તરલા જોશીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે.
સારાભાઇ VS સારાભાઇની એક્ટ્રેસનું નિધન
ઘણા ટીવી શોમાં કર્યુ હતુ કામ
ક્રિસ્ટલ ડિસોઝા સાથે પણ કર્યુ હતુ કામ
કોરોનાએ મનોરંજન જગતની મુશ્કેલીઓ વધારી દીધી છે. કોરોનાના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ટીવી ઇન્ડસ્ટ્રી તરફથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. એક્ટ્રેસ તરલા જોશીનું રવિવારે નિધન થઇ ગયુ છે. એક્ટ્રેસે ઘણી સિરીયલમાં કામ કર્યુ હતુ.
મોતનું કારણ અકબંધ
એક રિપોર્ટ અનુસાર તરલા જોશીએ રવિવારે અંતિમ શ્વાસ લીધા પરંતુ તેમનું મોત કયા કારણોસર થયુ તેનું કારણ હજુ સામે આવી શક્યુ નથી. તરલા જોશીના મોતના સમાચાર આવ્યા બાદ ટીવી જગતમાં શોકની લહેર ફરી ગઇ છે. નાના પરદાનો એક પોપ્યુલર ચહેરો હવે આપણી વચ્ચે નથી રહ્યો.
આ શોઝમાં કર્યુ કામ
તરલા જોશીએ સારાભાઇ VS સારાભાઇમાં કામ કર્યુ હતુ, તે સિવાય એક હઝારોમે મેરી બહેના હૈ જેવા ડેઇલી સોપ્સમાં કામ કર્યુ હતુ. તરલાને બંદિની સિરીયલથી નવી ઓળખાણ મળી હતી.
તરલા જોષી સિવાય અન્ય 3 ટીવી સ્ટારના પણ મોત થયા છે. એક્ટર મિહીર મિશ્રાનું પણ અવસાન થયુ છે. તે સિવાય દિયા ઓર બાતી, ગીત અને FIR જેવી સિરીયલમાં કામ કરી ચૂકેલ કનિકા મહેશ્વરીનું પણ અવસાન થયુ છે. એક્ટ્રેસ ફાલ્ગુની દેસાઇનું નિધન થયુ છે.