યંગ એક્ટ્રેસ સારા અલી ખાને ફિલ્મ 'અતરંગી રે'માં પોતાની એક્ટિંગથી દર્શકોનાં દિલ જીત્યા હતા અને જે પ્રકારની ફિલ્મો તેમની પાસે છે, તે તેમના ટેલેન્ટને વધારે સારી રીતે પડદા પર લાવશે. હવે સમાચારો મળી રહ્યા છે કે સારા અલી ખાન ઈક નવી ફિલ્મ સૈન કરી છે. આ ફિલ્મનું નામ છે 'એ વતન....મેરે વતન'.
કરણ જોહરની કંપની ધર્માટિક એન્ટરટેનમેન્ટ ફિલ્મને પ્રોડ્યુસ કરશે અને કન્નન અય્યર આ ફિલ્મને ડાયરેક્ટ કરશે. સારા અલી ખાન ફિલ્મમાં સ્વતંત્રતા સેનાની ઉષા મેહતાનું પાત્ર ભજવશે. હાલમાં સારા, કરણ જોહરનાં શો કોફી વિથ કરન 7 પર પણ જોવા મળી હતી.
કોણ છે ઉષા મેહતા?
ઉષા મેહતા એક ગાંધીવાદી સ્વતંત્રતા સેનાની હતા. તેમણે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન, એક સિક્રેટ રેડિયો સર્વીસ શરુ કરી હતી જેનું નામ કોંગ્રેસ રેડિયો હતું. 1942નાં ભારત છોડો આંદોલન દરમિયાન, તેમના આ રેડિયોથી આઝાદીનાં સંઘર્ષમાં ઘણી મદદ મળી હતી. આ રેડિયો પર એ જાણકારી અને સમાચારો શેર થાતા હતા, જેનાં પર ભારતની બ્રિટીશ સરકારે બેન લગાવ્યું હતું. 1998માં ઉષા મેહતાને ભારત સરકારે પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમનો જન્મ 25 માર્ચ ૧૯૨૦માં સૂરતનાં એક ગામમાં થયો હતો. તેમનો મહાત્મા ગાંધી સાથે પાંચ વર્શની ઉંમરમાં જ પરિચય થયો હતો. થોડા સમય બાદ રાષ્ટ્રપિતાએ તેમના ગામની નજીક એક શિબિરનું આયોજન કર્યું હતું, જેથી તેમણે બાપૂને સમજવાનો અવસર મળ્યો હતો. ત્યાર બાદથી જ તેમણે ખાદી પહેરવાનું અને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાનું વચન લીધું હતું.
જલ્દી જ શરુ થશે ફિલ્મનું શુટિંગ
રિપોર્ટ્સ અનુસાર, સારાએ આ વર્ષની શરૂઆતમાં આ ફિલ્મ સૈન કરી હતી. હવે 'એ વતન....મેરે વતન' જલ્દી જ ફલોર્સ પર આવશે. સારા આ ફિલ્મને લઈને ગયા અમુક સમયથી તૈયારીઓ કરી રહી છે અને પહેલી વાર એક રીયલ લાઈફ પાત્ર તે પડદા પર નિભાવવા માત એઅત્યંત ઉત્સુક છે. થોડા જ અઠવાડિયાઓમાં ફિલ્મનું શુટિંગ શરુ થઇ જશે. ફિલ્મને લઈને ઓફીશીયલ અનાઉન્સમેંટ કરવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે શૂટ શરુ થતા જ અનાઉન્સમેંટ થઇ શકે છે.