સારા અલી ખાન અને જાન્હવી કપૂર ટૂંક સમયમાં કરણ જોહરના કોફી વિથ કરણના બીજા એપિસોડમાં જોવા મળશે. શોમાં જાન્હવી અને સારાની મિત્રતા કેવી રીતે આટલી ગાઢ બનીનો ખુલાસો કર્યો.
બોલિવૂડની નવી BFF જોડી સારા અલી ખાન અને જ્હાનવી કપૂર
બન્ને થોડા સમય પહેલા કેદારનાથ ફરવા માટે ગઈ હતી
ત્યાં તે ટ્રેક કરતા ફસાઈ ગઈ હતી અને મોતને નજીકથી જોયું
બોલિવૂડની નવી BFF જોડીમાં સારા અલી ખાન અને જ્હાનવી કપૂરનું નામ પણ ઉમેરાઈ ગયું છે. ઘણીવાર બંને સાથે ચિલ આઉટ કરતા જોવા મળે છે. આ બંને અભિનેત્રીઓ 14 જુલાઈએ કોફી વિથ કરણના બીજા એપિસોડમાં સાથે ભાગ લેતી જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર સારા અને જ્હાનવીએ શોમાં પોતાની કેદારનાથ યાત્રાને લઈને મોટો ખુલાસો કર્યો છે.
મોતથી માંડ બચ્યા
સારા અને જ્હાનવીએ જણાવ્યું ત્યાં ખુબ ઠંડી હતી, પૂરા કપડા પહેરવા છતાં પણ બંને ઠંડીથી કાંપી રહ્યા હતા. આ સાથે જ એ પણ ખુલાસો કર્યો કે કેવી રીતે બંને ચઢતી વખતે એક જગ્યાએ ફસાઈ ગયા હતા, અને એક પથ્થર પરથી પડતા પડતા બચી ગયા હતા. સારા અને જાહ્નવીની કેદારનાથનો આ અનુભવ કોઈ ઘાતક સાહસથી ઓછો નહોતો. તેમણે કહ્યું, "તે અનુભવને યાદ કરીને, અમે આજે પણ ધ્રુજી ઉઠીએ છીએ. અમને લાગતું હતું કે હવે અમે મરી જ જઈશું." સારા અલી ખાને કહ્યું, "અમે ભૈરવનાથ જવાનું નક્કી કર્યું હતું અને ચાલવાનો એક સામાન્ય રસ્તો છે. પરંતુ અમે બીજું કશું વિચારવાનું નક્કી કર્યું છે. ત્યાં એક ખડકોનો 85 ફૂટનો ઢોળાવ હતો, જાહ્નવીનું કહેવાનું હતું કે ચાલો આના પર ક્લાઈમ્બિંગ કરીએ." સારાએ વિચાર્યું કે ક્યાંક તે જાન્હવીનો મૂડ ન બગાડે , તેથી તેણે હા પાડી દીધી. પરંતુ સારાને પણ અંદરથી ડર લાગતો હતો, અને તેને ખાતરી હતી કે હલતા પત્થરોને કારણે તેઓ પડી શકે છે.
ચાહકે પણ મદદ ન કરી
ચઢાણ સમયે બંને એક્ટ્રેસ અટવાઇ ગઇ હતી. કોઈ મદદ ન મળવા પર એક સમયે રાહત મળી જયારે ત્યાં તેમનો એક ચાહક એ બાજુ આવતો નજરે આવે છે. પરંતુ સારા અને જાન્હવી નિરાશ થઈ ગયા કારણ કે ચાહકે મદદ કરી નહી કારણ કે તે ફક્ત તેમની સાથે સેલ્ફી લેવા માંગતો હતો. આખરે, લગભગ 30 મિનિટ સુધી ફસાયેલા રહ્યા બાદ સારાના ડ્રાઇવરે તેને શોધી કાઢી હતી, અને સ્પેશિયલ ફોર્સિસની મદદથી તેને બચાવી લેવામાં આવી હતી.
ઓછા બજેટની હોટેલમાં રોકાયા
અભિનેત્રીની મુશ્કેલીઓ ત્યારે વધી જયારે હવામાનમાં બદલાવ આવ્યો હતો. જાહ્નવીએ કહ્યું, "સારાના ઓછા ખર્ચવાળા બજેટના પ્લાનને પગલે તેણે 6000 રૂપિયા ઓછી કીમતની હોટલ લીધી હતી, જ્યાં હીટરની સુવિધા નહોતી. કેદારનાથમાં માઈનસ ડિગ્રી તાપમાનના કારણે ઠંડીના કારણે બંને થીજી ગયા હતા. અમે બંનેએ તે દિવસે અમારા દરેક પેક કરેલ કપડાં પહેર્યા હતા, તેમ છતાં અમે ઠંડીથી કાંપી રહ્યા હતા. "