કોરોના મહામારી દરમિયાન સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 7 મહિનાથી ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન સાપુતારા બંધ રહ્યું હતું. ત્યારે હવે અનલૉક 5માં સાપુતારા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. જેને લઇને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાપુતારા ખુલ્લુ મુકાતા પ્રવાસીઓમાં ખુશી
આહલાદક વાતાવરણથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં કરાયુ હતુ બંધ
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા પ્રવાસન સ્થળોને ખોલી દેવામાં આવ્યા છે. જોકે સરકારી ગાઇડલાઇન અનુસાર આ પ્રવાસનને ખુલ્લા મુકવામાં આવ્યા છે. અનલૉક 5માં એડવેન્ચર પાર્ક એક્ટિવીટી સહિત નૌકાવીહાર ચાલુ કરાયા છે. સાપુતારાના ટેબલ પોઈન્ટ,સનરાઈઝ પોઈન્ટ પણ ખુલ્લા મુકાયા છે.
મહત્વનું છે કે, સામાન્ય રીતે સાપુતારામાં વરસાદની સીઝનમાં લોકો ફરવા જતા હોય છે. પરંતુ લોકડાઉનને લઇને સાપુતારામાં એડવેન્ચર એક્ટિવિટી સહિત જોવાલાયક સ્થલોએ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.
વરસાદી માહોલ વચ્ચે ડાંગમાં આહલાદક દ્રશ્યો
મહારાષ્ટ્રની બોર્ડર પર અને સહયાદ્રી પર્વતમાળામાં આવેલા સાપુતારામાં હાલ આહલાદક વાતાવરણ સર્જાયું છે. આહલાદક વાતાવરણથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. 1 હજાર મીટરની ઉંચાઈએ આવેલા સાપુતારામાં તાજી અને ખુલ્લી હવા ખાવા માટે જતા હોય છે. ત્યારે અત્યારે અહીં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે.
સાપુતારા ખુલ્લુ મુકાતા પ્રવાસીઓમાં ખુશી
સાપુતારાની પહાડીઓમાં ફરવા આવેલા સહેલાણીઓમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. એક તરફ રાજ્યમાં કોરોનાનો કહેર છે અને વરસાદી માહોલ છે. ત્યારે અનલૉક 5માં સહેલાણીઓ હીલસ્ટેશન સાપુતારા ખુલ્લુ મુકવામાં આવતા લોકો ઉમટી પડ્યા છે.