હિન્દુ ધર્મમાં હર એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે જે પણ ભક્ત ભગવાન શ્રી હરી વિષ્ણુની સાચા મનથી પૂજા અને એકાદશીનું વ્રત રાખે છે. તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાથે દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે. તો પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં હર એકાદશીનું વિશેષ મહત્વ
આ દિવસે ભગવાન શ્રી હરી વિષ્ણુની પૂજા અને એકાદશીનું વ્રત થાય છે
આ દિવસે શ્રીહરી વિષ્ણુના સ્વરૂપ ભગવાન અચ્યુતની પૂજા કરવી
મનના મનોરથ થશે પૂર્ણ
માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી સારા કાર્યો પરિપૂર્ણ થાય છે. તેથી તેને સફલા એકાદશી કહેવામાં આવે છે. વર્ષ 2021ની અંતિમ અગિયારસ એટલેકે સફલા એકાદશી 30 ડિસેમ્બરે ગુરૂવારે છે.
આ રીતે કરો પૂજા
સફલા એકાદશીનું વ્રત રાખનારા શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રીહરિ વિષ્ણુના સ્વરૂપ ભગવાન અચ્યુતની પૂજા કરવી જોઈએ. આ દિવસે સવારે સ્નાન બાદ વ્રતનો સંકલ્પ લો. ભગવાનને ધૂપ, દીવો, ફળ અને પંચામૃત વગેરે અર્પણ કરો. ત્યારબાદ ભગવાન અચ્યુતનું પૂજન નારિયેળ, સોપારી, આમળા, દાડમ અને લવિંગ વગેરેથી કરવુ જોઈએ. વ્રત દરમ્યાન રાત્રે જાગરણ કરી શ્રી હરિના નામનું ભજન કરવાનું મોટું મહત્વ માનવામાં આવે છે. વ્રતના બીજા દિવસે દ્વાદશી તિથિ પર કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવવુ જોઈએ અને યથાશક્તિ દાન-દક્ષિણા આપી વ્રતના પારણા કરવા.
સફલા એકાદશી વ્રત તિથી
એકાદશી તિથી 29 ડિસેમ્બર 2021ના રોજ બપોરે 4 વાગ્યેને 12 મિનિટથી પ્રારંભ થશે. જે 30 ડિસેમ્બર 2021ના બપોરે 1 વાગ્યેને 40 મિનિટે સમાપ્ત થશે. વ્રતના પારણા 31 ડિસેમ્બર 2021ના રોજ સવારે 7 વાગ્યાને 14 મિનિટ બાદ 2 કલાક 4 મિનિટ એટલેકે 9.18 મિનિટ સુધી રહેશે.