કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકોની નોકરીઓ જતી રહેવાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. પ્રિયંકાએ પીએમની શાહીન બાગ પરની 'સંયોગ-પ્રયોગ' ટિપ્પણી પર એમ કહેતાં નિશાન તાક્યું છે કે દેશમાં બેરોજગારી શું માત્ર સંયોગ છે કે તેમનો પ્રયોગ છે?
પ્રિયંકા ગાંધીના PM મોદી પર રોજગારને લઇને આકરા પ્રહાર
બેરોજગારી શું માત્ર સંયોગ છે કે તેમનો પ્રયોગ છે?
પાંચ વર્ષમાં 7 મહત્વપૂર્ણ ક્ષેત્રમાં 3.5 કરોડ નોકરી જતી રહી
એક રેલીને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સીલમપુર, જામિયા નગર અને શાહીન બાગમાં CAA વિરોધ પ્રદર્શન માત્ર સંયોગ નથી, પરંતુ એક પ્રયોગ અને રાજકીય ષડયંત્ર છે, જેના કારણે દેશના સોહાર્દને નુકસાન પહોંચાડી શકાય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાંકતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હાલમાં જ આવેલ એક રિપોર્ટ અનુસાર ગત પાંચ વર્ષમાં 7 મહત્વપૂર્ણ ક્ષેત્રમાં 3.5 કરોડ નોકરી જતી રહી.
પ્રિયંકા ગાંધીએ સંગમ વિહારમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સંયુક્ત રેલીને સંબોધન કર્યું હતું. આ રેલીમાં પ્રિયંકાએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યાં હતા. પ્રિયંકાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી તમારી સામે ભાષણ કરવા આવે છે ત્યારે બેરોજગારી અંગેનો કોઇ ઉલ્લેખ કરતાં નથી.
Congress leader Priyanka Gandhi Vadra at an election rally in Delhi: According to a report, 3.5 crore jobs have reduced in 7 sectors. But Prime Minister doesn't even mention it. Kya PM bata sakte hain ki yeh rozgaar ka ghatna sanyog hai ya prayog hai? pic.twitter.com/qNFDZkDEUk
શું તેઓ આપણને જણાવી શકે છે નોકરી જતી રહેવી એ માત્ર સંયોગ છે કે પ્રયોગ? શું તેઓ બતાવી શકે છે કે 35 વર્ષમાં બેરોજગારી દર સૌથી વધુ ઉંચાઇ પરે કેમ પહોંચી ગયો છે? શું આ સંયોગ છે, કે તેમનો પ્રયોગ છે ?
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપ દિલ્હીને ઉત્તર પ્રદેશ બનાવા ઇચ્છે છે. કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકાએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં તો અપરાધ અને અરાજકતા છે અને વિકાસનો કોઇ સંકેત નથી.