ગાંધીનગર જીલ્લાના સાંતેજ અને ખાત્રજની બાળકીઓ સાથે દુષ્કર્મ-હત્યા કરનારો મનોવિકૃત શખ્સ પોલીસના હાથે ઝડપાયો. દિવાળીના દિવસોમાં બે કુમળી કળીને મૂરઝાવી.પરિવારના પીંખાયા માળા
સાંતેજ-ખાત્રજની બાળકીઓની હત્યાકેસ
મનોવિકૃત શખ્સ ઉઠાવી ગયો બાળકીઓને
હત્યા-દુષ્કર્મ આચરી બાળકીઓને ફેંકી દીધી
ગાંધીનગર જિલ્લામાં આવેલ સાંતેજ ખાતે 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાનો મામલો પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે. જેને લઇ સાંતેજ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું છે કે 4 નવેમ્બરે આરોપી તેના માબાપની ગેરહાજરી ઝુપડીમાં લઇ ગયો હતો તેના પર બળાત્કાર ગુજારીને બાળકીને કેનાલ પાસે ફેંકીને ચાલ્યો હતો. આ આરોપીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ જયારે 5 નવેમ્બર શુક્રવારના રોજ ખાત્રજ ચોકડી પાસે માબાપ ઝુંપડામાં સુતા હતા એ દરમ્યાન તેમની 3 વર્ષની બાળકીને અજાણ્યો ઈસમ ઉઠાવીને લઈ ગયો હતો. આ બીજી બાળકીની લાશ ખાત્રજ તળાવ પાસેથી પાસેથી મળી આવી હતી.
સાંતેજ-ખાત્રજની બે બાળકીઓનો આરોપી એક જ
સાંતેજ પોલીસ મથકની હદમાંથી છ વર્ષીય બાળકીના અપહરણ-દુષ્કર્મની ઘટનામાં ભેદ-ભરમ રહ્યા હતા ત્યાં જ ખાત્રજમાંથી શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષીય દીકરીનું પણ અપહરણ કરીને દુષ્કર્મ અને પછી હત્યા કરી હોવાની ઘૃણાસ્પદ ઘટના પોલીસ સ્ટેશનના ચોપડે ચઢી. આ પગલે LCB સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સહિતની કુમક દ્વારા ગણતરીના સમયમાં જ બન્ને ગુન્હાને અંજામ આપનાર 26 વર્ષીય મનોવિકૃત શખ્સ ઝડપાયો છે.
માતાની કૂખમાંથી ઉઠાવી ગયો બાળકીને
દાહોદનો એક પરિવાર મજૂરી કામ અર્થે ખાત્રજ માં આવીને વસ્યો હતો. દિવાળીનો તહેવાર હોવાથી દંપતિ કડિયા કામની મજૂરી અર્થે નહોતા ગયા બેસતાં વર્ષનાં રોજ પરિવાર ઘરે હાજર હતો અને બધા રાત્રીના સમયે જમી પરવારી ઊંઘી ગયાં હતાં. તે સમયે છાપરાનો પતરાનો દરવાજો ખુલ્લો હતો અને પિતાની બાજુના ખાટલામાં તેમનો પુત્ર અને ત્રણ વર્ષીય દીકરી સૂઈ રહ્યા હતા.રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં માતા જાગી જઈ, બંને સંતાનના ઓઢવાના સરખા કરતી વેળા તેને ખ્યાલ આવ્યો કે પુત્રી તો નથી. હૈયે ફાળ પડતા પરિવારે અર્ધી રાત્રે દીકરીની શોધખોળ આદરી પરંતુ દીકરીનાં ક્યાય સગડ મળ્યા નહોતા. આ સમયે જ બાજુના છાપરામાં રહેતાં લોકો પણ એકઠા થઈ ગયા અને સૌ એ એકત્રિત થઈને શ્રમજીવી પરિવારની ગૂમ થયેલી દીકરીની શોધખોળ આદરી હતી. આસપાસનાં તમામ વિસ્તારો ખુંદી વળ્યા બાદ, આખરે નિરાશ થઈને સાંતેજ પોલીસ મથકમાં દીકરીના અપહરણની ફરિયાદ દાખલ કરાવી. પિતાની ફરિયાદના આધારે પોલીસે દીકરીની તપાસ હાથ ધરી હતી.
મનોવિકૃત શખ્સે હત્યા કરી આચર્યું દુષ્કર્મ
ઘટના અંગે સાંતેજ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે, બાળકીની લાશ સાંતેજ ચોકડીથી ભોંયણ તરફ જતા રોડ નજીક ગરનાળાની અવાવરુ જગ્યાએથી મળી આવી હતી. જેનો મેડિકલ ચેકઅપ કરતા દુષ્કર્મ થયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ વિભાગની તપાસમાં વિજયજી પોપટજી ઠાકોરે બાળકીનું અપહરણ કરી ગળું દબાવી હત્યા કરીને દુષ્કર્મ ગુજાર્યો હતો અને બાદમાં તેની લાશ ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું હતું.દુષ્કર્મના આરોપી વિજયજી ઠાકોરની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, દીપાવલીના દિવસે આ જ માનો વિકૃત આરોપીએ છ વર્ષીય બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની પણ વિગતો બહાર આવી રહી છે.