ગુણાતીત સ્વામીએ કેમ આપઘાત કર્યો તેની તપાસ હાલ ચાલી રહી છે, મંદિર પ્રસાશન દ્વારા ગળેફાંસો માટે ઉપયોગમાં લેવાયેલો સામાન કેમ હટાવી લેવાયો તે મોટો સવાલ છે
ગુણાતીત સ્વામી આપઘાત મામલો
બંને પક્ષને સમાધાનનો પ્રયાસ કર્યો હતો:શ્રીવાસ્તવ
હું સોખડા ગયો હતો: શ્રીવાસ્તવ
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં બુધવાર મોડીરાત્રે ગુણાતીત સ્વામીનું અચાનક નિધન થયું છે. જેને લઈને હરિભક્તોમાં ભારે આઘાત લાગ્યો છે. હરિભક્તોની ફરિયાદ બાદ ગુણાતીત સ્વામીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ તપાસમાં ગુણાતીત સ્વામીના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. બુધવારની સાંજે 7 થી 7.15 દરમિયાન પોતાના રૂમમાં હુંક પર ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો લગાવાયો હતો. પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના CCTV ફુટેજ કબ્જે લીધા હતા. ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યુ છે. તેઓ અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગીને સાંસારમાં પાછા ફરવાનું કહી ચૂક્યા હતા.
ભગવાનના હાથમાં છે કોનો જીવ ક્યારે લેવો: શ્રીવાસ્તવ
સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના આપઘાત કેસનો મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે સોખડા મંદિરમાં તપાસ થઈ રહી છે. સોખડા મંદિરમાં તપાસ થઈ રહી છે. રામનવમીના દિવસે હું સોખડા ગયો હતો. બંને પક્ષના સ્વામીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ભગવાનના હાથમાં છે કોનો જીવ ક્યારે લેવો..
પરિજનોના કહેવાથી આપઘાતની વાત સંતોએ કેમ છુપાવી
પોલીસે કોઈ ગુનાહિત કાવતરું હતુ કે કેમ તે અંગે તપાસ આરંભી દીધી છે. પ્રભુ પ્રિય સ્વામી, ગુણાતીત સ્વામીના પરિજનોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મંદિરના સેવકોની પણ પોલીસે સઘન પૂછપરછ હાથધરી છે. પ્રભુ પ્રિય સ્વામીએ પોલીસ સમક્ષ લુલો બચાવ કર્યો હતો. ગુણાતીત સ્વામીના પરિજનોના કહેવાથી આપઘાતની વાત છુપાવ્યાનો દાવો કર્યો છે.
પોલીસની એક ટીમ તપાસ માટે ગુણાતીત સ્વામીના વતન વંથલી પણ મોકલાઇ
બીજી બાજુ પોલીસે ગુણાતીત સ્વામીના આપઘાતનો મામલો પ્રભુપ્રિય અને હરીપ્રકાશ સ્વામીની પૂછપરછ કરી હતી આ સાથે પોલીસની એક ટીમ તપાસ માટે ગુણાતીત સ્વામીના વતન વંથલી પણ મોકલાઇ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના સોખડામાં ગુણાતીત સ્વામી મૃત્યુ મામલે હજુ પણ અનેક શંકાઓ ઉપજી રહી છે. જેમાં હરિધામના સંતોએ કુદરતી મોત ગણાવી અંતિમ સંસ્કાર કરવા પેરવી કરી હતી. મહત્વનું છે કે, ગુણાતીત સ્વામીના મોત પાછળ અનેક સવાલો ઉભા થયા છે. ગળેફાંસો માટે ઉપયોગમાં લેવાયેલો સામાન કેમ હટાવી લેવાયા?, પુરાવાની નાશ કરવા મુદ્દે કયા સંતો સામે નોંધાશે ગુનો?, આત્મહત્યાના 12 કલાક સુધી ઢાંકપીછોળો કરનાર કોણ? આમ ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી કે હત્યા એક મોટો સવાલ