સુપ્રીમ કોર્ટમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા ઘોષિત કરવાને લઈને અરજી પર સુનાવણી થઈ હતી.
સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રભાષાને લઈને આવી અરજી
સંસ્કૃતને રાષ્ટ્રભાષા ઘોષિત કરવાની માગ
કોર્ટે અરજીકર્તાને કહ્યું -તમે એક લાઈન સંસ્કૃતમાં સંભળાવો
સુપ્રીમ કોર્ટમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા ઘોષિત કરવાને લઈને અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટમાં અરજી રદ કરી દેવામાં આવી છે અને કહ્યું કે, આ એક નીતિગત નિર્ણય છે. જેના માટે સંવિધાનમાં સંશોધનની જરુર છે. જાહેરહીતની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે અરજીકર્તા પાસેથી સંસ્કૃતમાં એક લાઈન સંભળાવવા માટે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં રિટાયર્ડ બ્યૂરોક્રેટ ડીજી વણઝારા તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે સંસ્કૃતને રાષ્ટ્રભાષા ઘોષિત કરવા માટે ભાષાના પ્રચારની વાત કહી હતી. તેના પર જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે કહ્યું કે, આ નીતિ નિર્ણયના દાયરામાં આવે છે. તેના માટે પણ સંવિધાનમાં સંશોધનની જરુર પડે છે. કોઈ ભાષાને રાષ્ટ્રભાષા ઘોષિત કરવા માટે સંસદને રિટ જાહેર ન કરી શકાય.
બેન્ચે સવાલ કર્યો હતો કે, ભારતમાં કેટલા શહેરોમાં સંસ્કૃત બોલાય છે ? આ બાજૂ વણઝારાનું કહેવુ છે કે, કેન્દ્ર તરફથી તેના પર ચર્ચા ઈચ્છે છે અને કોર્ટની તરફથી એક દખલ સરકારના સ્તર પર ચર્ચા શરુ કરવામાં મદદગાર થશે.
બેન્ચે પૂછ્યું શું આપ સંસ્કૃત બોલો છો ? શું આપ સંસ્કૃતમાં એક લાઈન બાલી શકશો, અથવા આપની આ રિટનની અરજી સંસ્કૃતમાં અનુવાદ કરી શકશો. તેના પર રિટાયર્ડ બ્યૂરોક્રેટે એક શ્લોક સંભળાવી દીધો અને બેન્ચ તરફથી જવાબ મળ્યો, આ તો અમને બધાને ખબર છે.
સુનાવણી દરમિયાન વણઝારાએ બ્રિટિશ રાજ દરમિયાન કલકત્તાના સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશના નિવેદનનો હવાલો આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, તેમના તરફથી વાંચવામાં આવેલી 22 ભાષાઓમાંથી સ્પષ્ટ છે કે, સંસ્કૃત માતૃભાષા છે. તો વળી કોર્ટે કહ્યું કે, અમે એ પણ માનીએ છીએ, અમે જાણીએ છીએ કે, હિન્દુ અને રાજ્યોની કેટલીય ભાષાના શબ્દો સંસ્કૃતમાંથી આવ્યા છે. પણ તેના આધાર પર કોઈ પણ ભાષાને રાષ્ટ્રભાષા ઘોષિત કરી શકાય નહીં. અમારા માટે ભાષા ઘોષિત કરવી બહુ અઘરુ છે.
કોર્ટે કહી સરકાર સામે જવાની વાત
સુનાવણી દરમિયાન અરજીકર્તાએ અનુચ્છેદ 32નો હવાલો આપ્યો અને કહ્યું કે, વડી અદાલત પાસે તેને લઈને આશા છે અને કેન્દ્રનો મત જાણી ચર્ચા શરુ કરી શકાય છે. તેના પર કોર્ટે કહ્યું કે, જો અરજી કર્તા આવી રીતે રિપ્રેજેંટેશનનો વિચાર રજૂ કરે છે, તો તેમની પાસે તેને લઈને સરકાર પાસે જવાની આઝાદી છે.