સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા ખાસ સેમિનારનું આયોજન
આવતીકાલે સંસ્કારધામમાંથી જ દીકરીઓના માતા પિતા PM મોદી સાથે કરશે સંવાદ
ગુજરાતનું ગૌરવ વધારનાર દીકરીના માતાપિતાનું કરાયું સન્માન
સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ટોક્યો ઑલ્મપિકમાં ભાગ લેવા જઈ રહેલ ઇલાવેનિલ વાલારિવાનના માતપિતાનું શાલ તેમજ મોમેન્ટોથી સન્માન પણ કરવામાં આવ્યું, તથા ઈલાવેનિલ વાલારિવને સંસ્કારધામને પાઠવેલ શુભ સંદેશનું તેમના પિતાએ વાંચન કર્યું. સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા કરવામાં આવેલ આ ખાસ આયોજન બદલ ઈલાવેનિલ વાલારીવાનના માતા પિતાએ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
સેમિનારમાં સંકસાર સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા લાવેનિલ વાલારીવાન પર ખાસ ડૉક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવી હતી. ગુજરાતની આ દીકરી શૂટિંગમાં ભારત માટે મેડલ લઈને આવે તેવા બધાએ આશીર્વાદ પણ પાઠવ્યા હતા.
સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા ખાસ સેમિનારનું આયોજન
નોંધનીય છે કે ગઈકાલે સંસ્કારધામમાં સ્પોર્ટ એકેડેમી દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન રમતગમતના કોચિંગ કરતા કોચને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના આશરે ત્રીસેક જેટલા કોચ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં સંસ્કારધામના ટ્રસ્ટી તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.
ગુજરાતની 6 દીકરીઓએ ભારતનું ગૌરવ વધાર્યુ
ખેલકૂદની દુનિયાના સૌથી મોટા મહાકુંભની ટૂંક સમયમાં શરૂઆત થવા જઈ રહી છે. કોરોના વાયરસ મહામારીની વચ્ચે ટોક્યોમાં ઓલમ્પિકનું આયોજન કરવામાં આવશે અને વર્ષોથી તૈયારી કરી રહેલા ખેલાડીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા થશે. આ વખતે ઓલમ્પિકમાં ગુજરાતની નારી શક્તિના દર્શન થશે. ગુજરાતના આટલા વર્ષના ઈતિહાસમાં પહેલી વાર છ ખેલાડીઓ ભારતનું પ્રતિનધિત્વ કરવા જઈ રહ્યા છે અને તેમાંય એક સાથે છએ છ દીકરીઓ ક્વોલિફાઈ થઈ છે. એવામાં આવતીકાલે ભારતથી ક્વોલિફાઈ થનાર દરેક ખેલાડીઓ તથા તેમના મા-બાપ સાથે પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમ સંવાદ કરવાના છે. ગુજરાતમાંથી ક્વોલિફાઈ થનાર દરેક પ્રતિસ્પર્ધીના માતાપિતા સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીમાંથી જ પીએમ મોદી સાથે સંવાદમાં જોડાશે.