મધ્ય ગુજરાતની મહત્વની લોકસભા બેઠક એટલે વડોદરા બેઠક. 2014ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટા માર્જીનથી આ બેઠક પર ફતેહ મેળવી હતી. ત્યાર બાદ પેટા ચૂંટણી થતાં રંજનબેન ભટ્ટ ચૂંટાઇ આવ્યા હતા.
સાંસદ તરીકે રંજનબેન ભટ્ટે શું કામગીરી કરી?
વારાણસીથી મોદી જીતતા વડોદરા બેઠક કરી હતી ખાલી
2014ની લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશનું ધ્યાન વડોદરા લોકસભા બેઠક ઉપર હતું. વડોદરા બેઠક ઉપરથી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મધૂસુદન મિસ્ત્રીને કુલ પાંચ લાખ 70 હજાર મતે હાર આપી હતી. વડોદરા બેઠકની સાથે નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક ઉપરથી પણ ચૂંટણી લડ્યા હતા અને વારાણસીથી જીતતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠક ખાલી કરી. જેના પગલે વડોદરા લોકસભા બેઠક માટે સપ્ટેમ્બર-2014માં પેટાચૂંટણી યોજાઇ, જેમાં ભાજપના રંજનબેન ભટ્ટે કોંગ્રેસના નરેન્દ્ર રાવતને 3 લાખ 29 હજાર મતે હાર આપી વિજયી બન્યા હતા.
વર્ષ 2014માં કુલ મિલકત 66 લાખ હતી
57 વર્ષીય રંજનબેન ભટ્ટનો અભ્યાસ ઇન્ટર હાયર સેકન્ડરી સુધીનો ડૉ. રંજનબેન ભટ્ટ વડોદરા શહેરના ડેપ્યુટી મેયર હતા. 2014માં પહેલી વાર સાંસદ તરીકો ચૂંટાયેલા રંજનબેન ભટ્ટ ઉદ્યોગની સંસદીય કમિટિના સભ્ય રહ્યાં છે. 2014ની ચૂંટણી સમયે રંજનબેન ભટ્ટ અને તેમના પતિ ધનંજય ભટ્ટની મળીને કુલ મિલકત રૂપિયા 66 લાખ હતી.
2014માં મોદી લહેરમાં જીતેલા રંજનબેન ભટ્ટે તેમના પાંચ વર્ષના સાંસદ તરીકો વડોદરા સંસદીય મતક્ષેત્રમાં કેવાં પ્રજાકીય કાર્યો કર્યા અને કયા કાર્યોથી નાગરિકોને ફરિયાદ છે?
એક હકીકત એ છે કે સાંસદ તરીકે રંજનબેન ભટ્ટે સ્થાનિક મતદારોની પૂરી અપેક્ષાને સંતોષી શક્યા નથી. રંજનબેનના સાંસદ તરીકોના સમયમાં વડોદરા શહેરને રેલ્વે યુનિવર્સિટી તો પ્રાપ્ત થઇ છે તે તેમની સિદ્ધિ ગણાવી શકાય. એક સાંસદ તરીકો રંજનબેને પોતાના મતદારોની અપેક્ષાને સંતોષવા કેવાં કાર્યો કર્યા?
સ્થાનિક એરપોર્ટના વિકાસની સાથે-સાથે સાંસદ રંજનબેન ભટ્ટે વિશ્વામિત્રી નદીના વિકાસ માટે પણ પોતાના પ્રયાસો જણાવ્યા હતા.
સાંસદ તરીકો વિકાસના અનેક દાવાઓ રંજનબેન ભટ્ટે કર્યા છે. આમ છતાં પ્રશ્ન થાય કે વડોદરા સંસદીય મતક્ષેત્રના તેમના રાજકીય હરીફ કંઇક અલગ કહે છે.
રંજનબેન પાસે છેલ્લાં પાંચ વર્ષમાં સાંસદ તરીકો અનેક તક આવી હતી. પણ તટસ્થ મત આપનાર રાજકીય વિશ્લેષક માને છે કો આ તકનો રંજનબેન ભટ્ટે પૂરો પૂરો ઉપયોગ કર્યો નહીં.
કયા પ્રશ્નો પ્રશ્ન વણઉકલ્યા?
સાંસદ તરીકે રંજનબેન ભટ્ટ પાસે પાંચ વર્ષમાં વડોદરા સંસદીય મતક્ષેત્રના વિકાસ કરવાની તક હતી. પણ એ તકનો અપેક્ષા કરતાં ઓછો ઉપયોગ સાંસદ રંજનબેને કર્યો હોય તેવું લાગે છે. હજી પણ વડોદરા સંસદીય મતક્ષેત્રના અનેક પ્રશ્નો વણઉકલ્યા છે. આધુનિક્તા ભણી પહેલ કરતાં વડોદરાના એરપોર્ટનું વિસ્તૃતિકરણ અટકાયું છે. વડોદરાની મધ્યેથી પસાર થતી વિશ્વામીત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પણ આરંભાયો નથી જે અંગે નાગરિકોની માંગ છે. વડોદરામાં એઇમ્સ ન લાવી શકાયું તે બાબતે પણ સ્થાનિકોની નારાજગી છે સાથે વડોદરામાં કેન્સર સેન્ટર સાંસદ લાવી ન શક્યા તે બાબતે લોક ફરિયાદ છે. વડોદરા સંસદીય મતક્ષેત્રમાં પાણીના જત્થા અને ગુણવાના પ્રશ્નો વણઉકલ્યા છે, જે બાબતે સાંસદે ઓછી સક્રિયતા દાખવી હોય તેમ જણાય છે.
હાજર કે ગેરહાજર?
સાંસદ તરીકો રજંનબેન ભટ્ટે સંસદમાં દેશના અને વિસ્તાર વિકાસના વિવિધ મુદ્દાઓ અંગે સવિશેષ અવાજ ઉઠાવ્યો છે. રંજનબેન ભટ્ટની સંસદીય કાર્યવાહી વિશેષ રહી છે. સંસદમાં કુલ 90 ટકા હાજરી આપી છે. સાંસદ તરીકો રંજનભેન ભટ્ટે કુલ 415 પ્રશ્નો પુછીને તો સક્રિયતા દાખવી છે, પણ સંસદની ફક્ત 31 જ ડીબેટમાં ભાગ લઇને નિરાશ કર્યા છે.
કેટલી હાજરી - 90 ટકા
કેટલા પ્રશ્ન પુઠષયા -415 પ્રશ્નો
કેટલી કરી ડિબેટ - 31
સંસદમાં કેવાં પ્રશ્નો પૂછ્યા?
રંજનબેન ભટ્ટની સંસદમાં પ્રશ્ન પુછવામાં તેઓની સરેરાશ સારી છે. સાંસદ તરીકો રંજનબેન ભટ્ટે જે 415 પ્રશ્નો સંસદમાં પૂછ્યાં છે, તેમાં દેશ અને રાજ્યને લગતી સમસ્યાઓ અંગે વધુ સંખ્યામાં ડૉ. વડોદરા સંસદીય મતક્ષેત્રને સીધી અસર કરતાં પ્રશ્નો પ્રમાણમાં ઓછા પૂછતા સ્થાનિક મુદ્દાથી આંખ આડા કાન કર્યા છે. રંજનબેન ભટ્ટે સંસદમાં સ્માર્ટ સીટી તરીકો શહેરોના વિકાસ મુદ્દે પ્રશ્રો કર્યો છે, તો સાથે વડોદરાને અસર થાય તેવો અમદાવાદ-મુંબઇ એલીવેટર પ્રોજેક્ટ બાબતે પ્રશ્ન પુછ્યા છે. વિશ્વસ્તરની યુનિવર્સિટી અંગે પ્રશ્ન કરી શિક્ષણના ગુણવાને ઉજાગર કર્યો છે. સાંસદ રંજનબેન ભટ્ટે નદિના પાણીના વ્યવસ્થાપન બાબતે ચિંતા કરી છે, તો નીપા વાયરસ અંગે પ્રશ્ન કરી જાહેર આરોગ્ય મુદ્દે લોકચર્ચા છેડી હતી. રંજનબેન ભટ્ટે નરેગા વેતન અને કૃષિ સંકટ અંગે પ્રશ્નો કરી સાંસદ તરીકો પોતાની ફરજ અદા કરી છે.
અન્ય રાજ્યોના પ્રશ્નો વધુ પૂછ્યાં
જાગૃત સાંસદ તરીકો રંજનબેન ભટ્ટે પોતાના સંસદીય મતક્ષેત્રની સમસ્યાઓ અને પ્રશ્નોને સંસદના માધ્યમથી ઉજાગર કરવાની આવશ્યક્તા હતી. પણ રંજનબેને રાષ્ટ્રીય અને રાજ્યના પ્રશ્નોને વધુ અગ્રીમતા આપી છે. જેના કારણે રંજનબેન ભટ્ટે અન્ય રાજ્યોના પ્રશ્નો વધુ પૂછ્યા છે, જેનો સીધો સંબંધ વડોદરા સંસદીય મતક્ષેત્ર સાથે નથી. રંજનબેન ભટ્ટે દિલ્હી પોલીસમાં ભ્રષ્ટાચાર અને દિલ્હી મેટ્રો રેલમાં વધુ રસ લીધો. રાષ્ટ્ર સલામતીના મુદ્દા તરીકો રોહિંગ્યા રેફ્યુજીસ બાબતે રંજનબેને સંસદમાં પ્રશ્ન પુછ્યા છે. સંસદમાં રંજનબેન ભટ્ટે ગંગા પ્રોજેક્ટ અને ગંગા નદીના વિકાસ મુદ્દે ત્રણ પ્રશ્નો પુછ્યાં છે, તો યમુના નદીના પ્રદૂષણ અને યમુના કિનારે પ્રવાસન મુદ્દે સંસદમાં પ્રશ્નો પૂછ્યાં છે.
ગંગા-યમુના નદિના પ્રશ્ને વધુ સક્રિયતા
વડોદરા સંસદીય મતક્ષેત્રમાં વિશ્વામિત્રી, ઢાઢર નદિના પાણી અને તેના પ્રદૂષણના અનેક પ્રશ્નો છે. ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટે ફક્ત ગંગા અને યમુના નદિના પ્રશ્ને વધુ સક્રિયતા દાખવી છે. રંજનબેને જો વડોદરા સંસદીય મતક્ષેત્રના પ્રશ્નો વધુ ઉઠાવ્યા હોત તો તેના વિકાસની ગતિમાં વધારો થાત. સંસદમાં હાજરી આપવા, ડીબેટમાં સહભાગી થવા અને પ્રશ્નો પૂઠવા જેવી મહત્વની ત્રણ કામગીરીના 3 માર્કસ પૈકી રજંનબેન ભટ્ટને મળે છે 2.46 માર્કસ.
સ્થાનિક નાગરિકો સાંસદ રંજનબેનને કેટલાં માર્કસ આપે છે?
સ્થાનિકોને રંજનબેન ભટ્ટે એક સાંસદ તરીકે કરેલા કાર્યથી સંતોષ હોય તેવું જણાય છે. રેલ્વે બાબતે સક્રિયતા, હરણી એરપોર્ટની સુવિધા વધારવા અને લોકોને સહેલાઇથી મળવા જેવા મુદ્દે સ્થાનિકોએ રંજનબેન ભટ્ટને લોકોના સાંસદ તરીકો સ્વીકાર્યા છે. રંજનબેન ભટ્ટની સંસદીય કાર્ય પ્રવૃતિ અને લોકોએ આપેલાં માર્કસના આધારે રંજનબેન ભટ્ટને કુલ 10 માંથી 8 ગુણ વીટીવી આપે છે.
VTVએ કેટલાં ગુણ આપ્યાં
8/10
સ્થાનિકોએ તો સાંસદ તરીકો રંજનબેનને ફુલ્લી પાસ કર્યા છે પણ 2014ની પેટાચૂંટણીમાં વિશ્વામિત્રી નદીના વિકાસ અને હરણી એરપોર્ટને ઇન્ટરનેશનલ બનાવવાના વચનો આપ્યાં હતા. પણ તે પૂરાં ન થતા લોકાોની અપેક્ષા સંતોષાઇ નથી. પણ સાંસદ તરીકો રંજનબેન ભટ્ટે પોતાની ગ્રાન્ટનો સમુચિત ઉપયોગ કર્યો છે. લગભગ દર વર્ષે પોતાની પાંચ કરોડની ગ્રાન્ટ પૂરેપુરી રીતે વડોદરા મતક્ષેત્રના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને પ્રાથમિક સુવિધા પાઠળ ખર્ચ્યા છે. પણ વિશ્વામિત્રી નદીનો ન થયેલો વિકાસ, વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એઇમ્સ ન મળવાથી નાગરિકોમાં રોષ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ રંજનબેન ભટ્ટને રીપીટ કરી શકે તેમ છે. જો નવા રાજકીય સમીકરણો બદલાય નહીં તો...