મધ્ય ગુજરાતની મહત્વની લોકસભા બેઠક એટલે પંચમહાલ બેઠક. પંચમહાલ બેઠક 2008માં નવા સીમાંકન બાદ પહેલા વડોદરાપૂર્વ અને ત્યારબાદ ગોધરા બેઠક નવી રચાઇ છે. હાલ પંચમહાલ બેઠક ઉપરથી ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ સાંસદ છે. છેલ્લાં પાંચ વર્ષમાં પ્રભાતસિંહ ચૌહાણે સાંસદ તરીકે કેવી કામગીરી કરી?
સાંસદનું સરવૈયુંમાં...
પ્રભાતસિંહ ચૌહાણ છેલ્લી બે ટર્મથી સાંસદ છે
પંચમહાલ એટલે વડોદરાની પૂર્વમાં આવેલો આદિવાસી અને ઓબીસી મહુમૂલક વસ્તી ધરાવતો વિસ્તાર. પહેલા પંચમહાલ લોકસભા બેઠક એ ગોધરા બેઠક તરીકે જાણીતી હતી. 2008માં નવા સીમાંકન બાદ પંચમહાલ બેઠક નવી અસ્તિત્વમાં આવી. 2009 અને 2014 એમ બંન્ને લોકસભા ચૂંટણીમાં પંચમહાલ બેઠક ઉપરથી સાંસદ તરીકે પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટાયા છે. 2014માં પ્રભાતસિંહ ચૌહાણે કોંગ્રેસના રામસિંહ પરમારને એક લાખ સીતેર હજાર મતે માત આપી હતી. 2014ની લોકસભાની ચૂંટણી સમયે પ્રભાતસિંહ ચૌહાણે પોતાની કુલ મિલકત રૂપિયા એક કરોડ જાહેર કરી હતી.
પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ઉપર કુલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લી બે ટર્મથી જીતતા આવતા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની છેલ્લાં પાંચ વર્ષની કામગીરી અંગે લોકોનો શું છે પ્રતિભાવ?
પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ માટે સ્થાનિકોને અનેકો ફરિયાદ છે. પણ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો દાવો છે કે પોતે છેલ્લાં પાંચ વર્ષમાં સંસદીય મતક્ષેત્રના વિકાસ માટે લખલૂંટ પ્રયાસ કર્યા છે.
પંચમહાલના સાંસદે વિસ્તાર વિકાસ માટે અનેક દાવા કરે છે. પણ તેમના પ્રતિસ્પર્ધીઓ વિસ્તાર વિકાસના દાવાઓ સામે પ્રશ્નો કરે છે.
વર્ગમાં નબળો વિઘાર્થી જેમ બેસી રહે તેમ સંસદમાં ફક્ત બેસી રહ્યા
પંચમહાલ સંસદીય મતક્ષેત્રના વિકાસ માટે સાંસદે પોતાની ગ્રાન્ટનો સમુચિત ઉપયોગ કર્યો છે. વિસ્તારમાં ગ્રાન્ટના ઉપયોગ સિવાય અન્ય વિકાસ કાર્યોની પહેલ પણ ઓછી જણાય છે. વિસ્તારમાં નબળા પ્રજાકીય કાર્યો અને નાગરિકોની જેમ ફરિયાદો છે તેવી જ સાંસદ તરીકે પ્રભાતસિંહ ચૌહાણની સંસદીય કાર્યવાહિ રહી છે. 2014થી આરંભાયેલી 16મી લોકસભામાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ખૂબ જ નિષ્ક્રીયતા દાખવી છે. પ્રભાતસિંહ ચૌહાણે સંસદમાં આપી છે તો 94 ટકા હાજરી. પણ વર્ગમાં નબળો વિઘાર્થી જેમ બેસી રહે તેમ સંસદમાં ફક્ત બેસી રહીને દર્શક બન્યા છે. એક બાજુ જ્યારે દેશના સાંસદોએ સરેરાશ સંસદમાં 293 પ્રશ્નો પુછ્યા છે, ત્યારે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પીઆરએસ વેબસાઇટ પ્રમાણે ફક્ત નવ જ પ્રશ્નો પુછીને સંસદમાં નિક્રીયતા દાખવી છે. દેશના અન્ય સાંસદોએ સરેરાશ 67 ડીબેટમાં હિસ્સો લીધો છે ત્યારે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ફક્ત ત્રણ જ ડીબેટમાં સહભાગી બનીને પોતાના જ વિસ્તારના પ્રશ્નો સાથે અન્યાય કર્યો છે.
હાજર કે ગેરહાજર
કેટલી હાજરી - 94 ટકા
કેટલા પ્રશ્ન પુછ્યા - 9 પ્રશ્નો
કેટલી કરી ડિબેટ - 3
મુખ્યત્વે સામાન્ય પ્રશ્ન કર્યા
પંચમહાલ સાંસદ તરીકે પ્રભાતસિહે ખૂબ જ મર્યાદિત પ્રશ્નો કર્યા છે. સાથે પોતાના વિસ્તારના પ્રશ્નો પણ સંસદમાં નહી પૂછીને પ્રશ્નો બાબતે આંખ આડા કાન કર્યા છે. સંસદમાં જે નવ પ્રશ્ન કર્યા છે તેમાં પ્રભાતસિંહ ચૌહાણે મુખ્યત્વે સામાન્ય પ્રશ્ન કર્યા છે. પ્રભાતસિંહ ચૌહાણે સંસદમાં પડતર જંગલ જમીન ઉપર ખેતી કરવાનો પ્રશ્ન પુછ્યો છે. શિક્ષણના મુદ્દે પ્રભાતસિંહ ચૌહાણે સર્વ શિક્ષા અભિયાનની કામગીરીને લઇને પ્રશ્ન કર્યો છે. શિક્ષણ મુદ્દે જ પ્રભાતસિંહ ચૌહાણે રાષ્ટ્રીય માધ્યમિક શાળા અભિયાન અંગે પ્રશ્ન કર્યો છે. સંસદમાં પ્રભાતસિંહ ચૌહાણે વીજ ઉત્પાદન યુનિટ અંગે પ્રશ્ન કર્યો છે. તો સાથે ખાનગી કંપનીઓમાં કર્મચારીની ભરતી પ્રકિયા અંગે પ્રશ્ન સંસદમાં ઉઠાવ્યો છે. પ્રભાતસિંહ ચૌહાણે સંસદમાં મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ કરાર અંગેનો પ્રશ્ન સંસદમાં ઉઠાવ્યો છે. કેવાં પ્રશ્નો પૂછ્યા
પડતર જંગલ જમીનમાં ખેતીનો પ્રશ્ન
સર્વ શિક્ષણ અભિયાન અંગેનો પ્રશ્ન
રાષ્ટ્રીય માધ્યમિક શાળા અભિયાનનો પ્રશ્ન
વીજ ઉત્ખાપાદન અંગેનો પ્રશ્ન
ખાનગી કંપનીમાં કર્મચારી ભરતી અંગેનો પ્રશ્ન
મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંગેનો પ્રશ્ન
મતક્ષેત્ર બહારના પ્રશ્ન સંસદમાં પુછ્યા
સંસદમાં પ્રભાતસિંહ ચૌહાણે નિક્રીયતા દાખવી છે. સંસદમાં આમ પણ ઓછાં પ્રશ્પુ]ષયા છે ત્યારે પોતાના મતક્ષેત્ર બહારના પ્રશ્ન પણ સંસદમાં પુછ્યા છે. આમ જોવા જઇએ તો પંચમહાલ સંસદીય મતક્ષેત્રનો કોઇ વિસ્તાર દરિયા કિનારે નથી. છતાં પંચમહાલ સાંસદ ગ્રાફિક્સ પ્રભાતસિંહ ચૌહાણે સંસદમાં સાગરમાલા પ્રોજેક્ટ અંગે પ્રશ્ન કર્યો છે. આ સાથે સાસંદ પ્રભાતસિંહ ચૌહાણે વિસ્તારના કેમિકલ ઇન્ફ્યુઅલ્ટ અંગે પણ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે. એક અંદરે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પોતાના મતક્ષેત્ર કરતાં અન્ય વિસ્તારની ચિંતા વધુ કરી છે. જેનાથી પંચમહાલ સંસદીય મતક્ષેત્રની સમસ્યાઓ વકરી છે.
કેવાં પ્રશ્નો પૂછ્યા
સાગરમાલા પ્રોજેક્ટ અંગેનો પ્રશ્ન
કેમિકલ ઇન્ફલ્યુઅન્ટ અંગેનો પ્રશ્ન
પંચમહાલ સંસદીય મતક્ષેત્ર માટે વણ ઉકલ્યો
પોતાના વિસ્તારની પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે અવગણના કરી છે, જેના કારણે પંચમહાલ સંસદીય મતક્ષેત્રના અનેક પ્રશ્નો હજી પણ વણ ઉકલ્યાં રહ્યા છે. વિશેષ તો પંચમહાલ સંસદીય મતક્ષેત્રમાં રોજગારીનો પ્રશ્નો ઘણાં લાંબા સમયથી વણ ઉકલ્યો રહ્યો છે. તો નર્મદાના પાણીનો આદિવાસી વિસ્તારને લાભ મળતો નથી. આ પ્રશ્ન પણ પંચમહાલ સંસદીય મતક્ષેત્ર માટે વણ ઉકલ્યો રહ્યો છે. સાથે આરોગ્યની કોઇ સુવિધા નથી. આરોગ્યની સારવાર કરાવવા માટે વડોદરા આવવું પડે છે. રાષ્ટ્રીય હાઇ-વેની લોકમાંગ હોવા છતાં નેશનલ હાઇ-વે નવા અપાતા નથી. રેલ્વેની સુવિધા અને ગોધરા ટ્રેનના સ્ટોપેજ અંગે વર્ષોથી લોકોની માંગ છે. પાનમ, હડફ, કરાડ અને ગુમા નદીઓ ઉપર કોઇ બંધ નથી. લોકોની માંગ સિંચાઇ માટે ડેમ બનાવવાની છે. હાલોલ જીઆઇડીસીનું પાણી ગુમા નદીમાં ઠલવાય છે જે બંધ કરવા માટે પ્રજાની માંગ વર્ષોથી છે.
ક્યા પ્રશ્ન વણઉકલ્યા
રોજગારી મોટો પ્રશ્ન
પશ્ચિમ કિનારે નર્મદાનું પાણી નથી મળતું
જાહેર આરોગ્યની સુવિધાનો અભાવ
મુંબઇ-દિલ્લી રૂટની ટ્રેનનો સ્ટોપેજની માંગ
નદીઓ ઉપર ડેમની વર્ષો જની માંગ
ગુમા નદીમાં હાલોલ જીઆઇડીસીનું પ્રદૂષણ
પ્રભાતસિંહ ચૌહાણ આમ તો છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યાં છે. છતાં સ્થાનિક સ્તરે અનેક પ્રશ્નો હજી વણ ઉકલ્યાં રહ્યાં છે. સ્થાનિક સ્તરે નાગરિકો રોજગારી, પાણી, આરોગ્ય, ટ્રેન, સિંચાઇ અને પ્રદૂષણના મુદ્દે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની સક્રિયતાની અપેક્ષા રાખે છે. પણ સાંસદ પોતાના મતક્ષેત્રમાં વિકાસના મુદ્દે અને સંસદમાં પ્રશ્ન પુછવા કે ડીબેટમાં સહભાગી થવાના મુદ્દે સાવ નિષ્ક્રીય રહ્યાં છે ત્યારે સ્થાનિકો સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને 10 માંથી કેટલાં માર્કસ આપે છે તે જાણવું સરપ્રદ બની રહેશે.
સ્થાનિક નાગરિકોએ પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને તેમની કામગીરી અને સક્રિયતાને ધ્યાનમાં લઇનમે ઓછા માર્કસ આપ્યાં છે. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ આમ જોવા જઇએ તો પ્રજાની નજરે નાપાસ જાહેર થયાં છે. પ્રભાતસિંહને પ્રજાએ આપેલ પ્રતિસાદ અને તેમની સંસદીય કાર્ય પ્રવૃતિને જોતા વીટીવી આપે છે 10 માર્કસમાંથી 4 માર્કસ.
VTVએ કેટલાં ગુણ આપ્યાં 4 / 10
પંચમહાલ સંસદીય મતક્ષેત્ર 11 વર્ષ જુનો મતક્ષેત્ર છે અને છેલ્લી બે ટર્મથી પ્રભાતસિંહ યૌહાણ જ સાંસદ બને છે. મોદી લહેરમાં જીતેલા પ્રભાતસિંહ ચૌહાણ ત્યાર બાદ પોતાના પુત્રને ટિકિટ આપવાના મુદ્દે પણ ખાસ્સા વિવાદમાં રહ્યાં છે. વિસ્તારના વર્ષો જુના પ્રશ્નો બાબતે પણ સાંસદ નિક્રીય છે અને હાલ વિસ્તારના મતદારો જાગૃત છે ત્યારે 2019ની ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવાર બદલે તો નવાઇ નહીં.