કચ્છએ ગુજરાતનો વિશિષ્ટ ભૌગૌલિક લાક્ષણિકતા ધરાવતો વિસ્તાર છે. 2014ની લોકસભાની ચૂંટણી બાદ કચ્છ સંસદીય મતક્ષેત્ર અનેક વાર લોકચર્ચામાં રહ્યો છે. રાજ્યનો સૌથી મોટો વિસ્તાર ધરાવતી કચ્છ લોકસભા બેઠક છે. હાલ કચ્છના સાંસદ છે, વિનોદ ચાવડા. છેલ્લાં પાંચ વર્ષમાં વિનોદ ચાવડાની એક સાંસદ તરીકે કેવી કાર્યવાહી કરી?
સાંસદનું સરવૈયુ...
2014માં મોદી લહેરમાં વિનોદ ચાવડા થયા હતા વિજયી
કચ્છએ રાજ્યની સૌથી મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવતી લોકસભાની બેઠક છે. રાજકીય દ્રષ્ટીએ કચ્છએ અનૂસુચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. કચ્છ આખું અને મોરબીનો હિસ્સો કચ્છ લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. 2014ની ચુંટણી વિનોદ ચાવડાએ કોંગ્રેસના દિનેશ પરમારને બે લાખ 54 હજાર મતે હરાવી જીતી હતી. 2014માં લોકસભાની ચૂંટણી સમયે વિનોદ ચાવડાએ કુલ રૂપિયા 56 લાખની મિલકત જાહેર કરી હતી. 2014માં મોદી લહેરમાં વિનોદ ચાવડા પહેલી વાર સાંસદ બન્યા.
ભાજપ અને વિનોદ ચાવડાએ અનેક વચનો આપ્યાં હતા
2014ની 16મી લોકસભાની ચૂંટણીમાં મોદી લહેરની અસર કચ્છ લોકસભા બેઠક ઉપર પણ થઇ. 2014માં ભાજપના સ્થાનિક નેતા વિનોદ ચાવડાએ કોંગ્રેસના આયાતી ઉમેદવાદ ડો. દિનેશ પરમારને બે લાખ ચોપ્પન હજાર મતે હાર આપી હતી. 2014માં મોદી લહેરમાં જીતાયેલી કચ્છ બેઠક માટે ભાજપ અને વિનોદ ચાવડાએ અનેક વચનો આપ્યાં હતા. મહત્વના વચનોની વાત કરીએ તો વિનોદ ચાવડાએ કચ્છને પાકિસ્તાનથી સિંધુ બેઝીનનું પાણી અપાવવાનું વચન આપ્યું હતુ જે બબાતે કંઇ થયું નથી. કચ્છને મુંબઇની નવી ટ્રેન અપાવવાનું વચન પણ હજી સુધી પૂર્ણ થયું નથી. તો માછીમારોને પાકિસ્તાનના મરિનના ત્રાસથી મૂક્ત કરાવવાવું વચન પણ હજી સુધી ફક્ત વાત જ રહી છે. માત્ર કચ્છને પાસપોર્ટ ઓફિસ મળી છે, જે વચન પૂર્ણ થયાનો વિનોદ ચાવડાને સંતોષ રહ્યો હશે.
સિંધુ બેઝીનનું પાણી કચ્છને અપાવવું
કચ્છ-મુંબઇ સહિત નવી ટ્રેઇનનો આરંભ કરાવવો
માછીમારોને પાકિસ્તાન મરિનના ત્રાસથી મૂક્ત કરવવા...
કચ્છને પાસપોર્ટની સ્થાનિક ઓફિસ અપાવવી
39 વર્ષીય વિનોદ ચાવડા સંસદની વાહન વ્યવહાર તથા સંસ્કૃતિ અને પર્યટન અંગેની સમિતિના સભ્ય રહ્યાં છે.
વિનોદ ચાવડાએ છેલ્લાં પાંચ વર્ષમાં કચ્છ સંસદીય મતક્ષેત્રના વિકાસ માટે જે કામ કર્યું, પ્રજાની કઇ અપેક્ષા પુર્ણ કરી તે અંગે સ્થાનિક મતદારો વર્ણન કર્યું હતું.
સ્થાનિક નાગરિકોના આ હતા સચોટ પ્રતિભાવ, પોતાના સાંસદ વિનોદ ચાવડા માટેના. છેલ્લાં લગભગ પાંચ વર્ષથી સાંસદ રહેલા વિનોદ ચાવડા પોતાના કામનું સરવૈયું કંઇક આવી રીતે આપી રહ્યાં છે.
હજી પણ કચ્છના કામના અનેક પ્રશ્નો વણઉકલ્યા
કચ્છના હાલના સાંસદ તરીકે વિનોદ ચાવડાનો દાવો છે કે તેઓએ 50થી વધુ પ્રશ્નોનો ઉકેલ લાવ્યાં છે. પણ હકીકત કંઇક ઔર છે. જો સાંસદ તરીકે વિનોદ ચાવડાએ વિસ્તારના પડતર પ્રશ્નો ઉકેલ્યાં હોય તો સવાલ એ થાય છે કે હજી પણ કચ્છના કામના અનેક પ્રશ્નો વણઉકલ્યા છે. કચ્છની વર્ષો જુની માંગણી છે કે તેને પાકિસ્તાનથી સિંધુ બેઝીનનું પાણી ફળવાય પણ હજી આ બાબતે કંઇ નક્કર કાર્યવાહિ થઇ નથી કે નથી રાષ્ટ્રીય સ્તરે કંઇ રજુઆત થઇ હોવાના કોઇ વાવડ. કંડલા પોર્ટનો ટ્રાફિક ઓછો થતો જાય છે અને તેના પડતર પ્રશ્નો પરત્વે આંખ આડા કાન કરાય છે. કચ્છ સરહદી વિસ્તાર હોવાં છતાં રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાના મૂળભુત પ્રશ્નો વર્ષોથી પડતર રહ્યાં છે. કચ્છમાં જમીનોનું કંપનીઓ દ્વારા હસ્તાંતર થાય છે, વિશેષ તો પવનચક્કી ઉભી કરાતા જમીનો ખેડૂતો અને સરકાર પાસેથી જતી રહે છે. પાકિસ્તાન મરિન પણ સ્થાનિક માછીમારોને હેરાન કરે છે અને વિદેશી જેલોમાં બંધ કેદીઓ બાબતે કંઇ નક્કર કાર્યવાહીઓ થઇ નથી. કંડલા, મુદ્રા અને માંડવી ખાતે અનેક પરપ્રાંતીયો કામ કરે છે છતાં દેશ સાથે જોડવાનું ટ્રેનનું નેટવર્ક વિકસતુ નથી.
કયા પ્રશ્ન વણઉકલ્યા
કચ્છને સિન્ધુ બેઝીનનું પાણી મળ્યું નથી, પાણીની અઠત છે
કંડલા પોર્ટના વર્ષો જુના પડતર પ્રશ્નો ઉકેલની રાહ જુએ છે
સરહદી વિસ્તારમાં હજી પણ રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે
કચ્છમાં જમીનોનું મોટા ભાગે કંપનીઓ દ્વારા હસ્તાંતર થઇ રહ્યું છે
પાકિસ્તાન મરિન સિક્યોરીટી દ્વારા માછીમારોને રંજાડવાનું બંધ થયું નથી
વિદેશી જેલોમાં બંધ છે કચ્છના માછીમારો
કચ્છ હજી પણ ટ્રેનથી સમગ્ર દેશ સાથે જોડાયું નથી
સાંસદ તરીકે વિનોદ ચાવડાએ સંસદમાં સામાન્ય કહી શકાય તેવી કાર્યવાહિ
ક્ચ્છમાં અનેક પ્રશ્નો છે, વિકાસની પારાવાર શક્યતાઓ છે. છતાં સાંસદ વિનોદ ચાવડા સંસદમાં ગાજ્યા નથી. સંસદમાં સરેરાશ સાંસદ તરીકો જ વર્તીને વિનોદ ચાવડાએ કચ્છના પ્રશ્નોને દેશ સુધી રજુ કર્યા નથી. વિનોદ ચાવડાએ સંસદમાં 83 ટકા હાજરી આપી છે. જ્યારે દેશના સાંસદોએ પુછેલા પ્રશ્નો કરતાં ઓછા પ્રશ્નો સંસદમાં પુછ્યા છે. ફક્ત 227 પ્રશ્નો વિનોદ ચાવડાએ સંસદમાં પૂછ્યા છે. જ્યારે દેશના સાંસદોએ સરેરાશ 67 ડીબેટમાં ભાગ લીધો છે, ત્યારે વિનોદ ચાવડાએ ફક્ત સાત જ ડીબેટમાં ભાગ લઇને સંસદીય કાર્યમાં નિક્રીયતા દાખવી છે. જેનો ભોગ કચ્છ વિસ્તાર બન્યો છે.
હાજર કે ગેરહાજર
કેટલી હાજરી - 83 ટકા
કેટલા પ્રશ્ન પુછ્યાં - 227 પ્રશ્નો
કેટલી કરી ડિબેટ - 7
પ્રશ્નના ઉકોલ આવે તે રીતે રજુઆત થઇ નથી
કચ્છ સંસદીય મતક્ષેત્રનો વ્યાપ ઘણો મોટો છે છતાં વિસ્તારને સીધા અસર કરતાં પ્રશ્નો સાંસદ તરીકો વિનોદ ચાવડાએ ઓછા પૂછ્યા છે. વિસ્તારને લગતા સામાન્ય અને પરંપરાગત પ્રશ્નો વિનોદ ચાવડાએ કર્યા છે, જેમાં કચ્છમાં અચરાતી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ અંગેનો પ્રશ્ન સંસદમાં ઉઠાવ્યો છે. સાથે કચ્છ દરિયા કિનારે પાકિસ્તાનના મરિન દ્વારા થતી હેરાનગતિ અને સરહદે તારની વાડ અંગેના પ્રશ્ન સંસદમાં કર્યા છે. સરહદી વિસ્તાર બાદ કચ્છમાં રેલ્વે અંગેનો પ્રશ્ન અને કેન્દ્રીય વિઘાલયમાં શિક્ષકોની ભરતી અંગે પણ સંસદમાં અવાજ રજુ કર્યો છે. કંડલા પોર્ટ ટ્રસ્ટની કામગીરી અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે પણ હજી ઉકોલ આવ્યો નથી. માંડવી-નારાણસરોવર ફોર-લેન અને સાંસદ આદર્શ ગામ અંગેના પ્રશ્નો વિનોદ ચાવડાએ સંસદમાં ઉઠાવ્યાં છે. આ પ્રશ્નોમાં નવીનતા નથી, કે પ્રશ્નના ઉકોલ આવે તે રીતે રજુઆત થઇ નથી.
કેવાં પ્રશ્નો પૂછ્યા
કચ્છમાં અચરાતી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ
કચ્છના દરિયા કિનારે પાકિસ્તાન મરિન સિક્યોરીટી દ્વારા થતી હેરાનગતિ
સરહદ ઉપર તારની વાડ કરવી
કચ્છ અને મોરબીના રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવો
કચ્છમાં કેન્દ્રીય વિઘાલય અને જવાહર નવોદય વિઘાલયમાં શિક્ષકોની નિમણૂંક કરવી
કંડલા પોર્ટ ટ્રસ્ટની કામગીરી
માંડવી-નારાણસરોવરને ફોરલેન કરવો
સાંસદ આદર્શ ગ્રામ યોજના
કચ્છના પ્રશ્નો પુછવા જેવા હતા પણ કચ્છ સિવાયના પ્રશ્નો પુછ્યા
કચ્છ સંસદીય મતક્ષેત્રના વિકાસ માટે અનેક પ્રશ્નો છે જેને સાંસદે વાચા આપવાનો ઓછો પ્રયાસ કર્યો છે. વિશેષ તો પીવાના પાણી, દરિયા કિનારાના વિકાસના પ્રશ્નો, રોજગારી, ટ્રેનોની કનેકટીવીટી, કચ્છમાં થતા ગેરકાયદેસર ખનીજ ખનન, વિસ્તરતું જતુ રણ, અગરિયા-માલધારી અને માછીમારોના પ્રશ્નો. સાંસદ વિનોદ ચાવડાએ સંસદમાં એવાં પણ પ્રશ્નો પુછ્યાં છે કે જેનો સીધો સંબંધ કચ્છ સંસદીય મતક્ષેત્રની સાથે નથી. વિનોદ ચાવડાએ સાબરમતી રેલ્વે સ્ટેશનના વિકાસની સંસદમાં ચિંતા કરી છે. તો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે અને વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇ-વે અંગે સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યાં છે. સાથે વિનોદ ચાવડાએ દિલ્લી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેકટ અંગે પ્રશ્ન કર્યો છે. સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે વસુલાતી પાર્કિંગ ફી અંગે ચિંતા વ્યક્ત કરી છે. મેટ્રો રેલ્વેના સ્ટોપેજ અંગે ચીંતા કરી છે. સાથે કચ્છમાં નહીં થતી વાંસની ખેતી બાબતે સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યા છે. આમ વિનોદ ચાવડાએ કચ્છના પ્રશ્નો પુછવા જેવા હતા પણ કચ્છ સિવાયના પ્રશ્નો પુછ્યા છે.
કચ્છને સીધા અસર કરતાં પ્રશ્નોને ઓછું પ્રાધાન્ય અપાયું
કચ્છ સાંસદ માટે છેલ્લાં પાંચ વર્ષમાં કચ્છના પડતર પ્રશ્નોને સંસદના માધ્યમથી વાચા આપવાની એક તક હતી. પણ વિનોદ ચાવડા આ તકનો પૂરતો ઉપયોગ કરી શક્યા નથી. સંસદમાં પોતાના કાર્ય વિસ્તાર કરતાં વધુ તેઓએ રાજ્યના અન્ય પ્રશ્નો સંસદમાં પુછ્યાં છે. જેનાથી કચ્છને સીધા અસર કરતાં પ્રશ્નોને ઓછું પ્રાધાન્ય અપાયું છે. સ્થાનિક વિસ્તાર વિકાસ માટેની સાંસદની MPLAD ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ એક સાંસદ તરીકે વિનોદ ચાવડાએ કર્યો છે. સંસદમાં હાજરી, ડીબેટમાં સહભાગીતા અને પૂછેલાં પ્રશ્નોના ત્રણ માકામાંથી વિનોદ ચાવડાને મળે છે ફક્ત 1.8 માર્કસ. સંસદીય કાર્યપ્રવૃતિ અને વિસ્તારમાં કરેલા વિકાસ કાર્યો તથા લોકોના પ્રતિભાવના આધારે વીટીવી સાંસદ વિનોદ ચાવડાને આપે છે 10 માંથી 6 માર્કસ...
VTVએ કેટલાં ગુણ આપ્યાં 6 / 10
કચ્છમાં નલિયાકાંડ જેવાં અમાનુષી કાંડ બન્યો અને જેનાથી ભાજપના નેતાઓ બદનામ થયા. આ બાબતે પણ સાંસદ વિનોદ ચાવડાનું મૌન ઘણું કહી જાય છે. 2019ની લોકસભાની બેઠક તરીકે કચ્છ ભાજપ માટે પડકારજનક બની રહેશે. નવા સમીકરણો સર્જાય તો ભાજપ કચ્છની અનામત બેઠક પર કંઇ પણ દાવ ખેલી શકે તેમ છે.