બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે સંકટ ચોથ: આ શુભ મુહૂર્તમાં કરો શુભ કાર્ય, દુંદાળા દેવના મળશે આશીર્વાદ

ધર્મ / આજે સંકટ ચોથ: આ શુભ મુહૂર્તમાં કરો શુભ કાર્ય, દુંદાળા દેવના મળશે આશીર્વાદ

Last Updated: 07:46 AM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં સંકટ ચોથનું સવિશેષ મહત્ત્વ છે. દર મહિને કૃષ્ણ પક્ષની તિથીના દિવસે સંકટ ચોથનું વ્રત રાખવામાં આવે છે. આજે એટલે કે 17 જાન્યુઆરી 2025 ના શુક્રવારે સંકટ ચોથ છે. આ વ્રત ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે માતા સકટની પૂજાનું પણ મહત્ત્વ છે.

સંકટ ચોથના દિવસે વ્રત સાંજે ચંદ્રને અર્ઘ્ય આપ્યા પછી જ ખોલવામાં આવે છે. સંકટ ચોથના દિવસે ચંદ્ર દર્શનનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાંને જળ અર્પણ કરવાથી જીવનમાં નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. ચાલો જાણીએ કે સંકટ ચોથના દિવસે ચંદ્ર કેટલા વાગે ઊગશે અને તેની પૂજાનું શુભ મુહૂર્ત.

સંકટ ચોથ પૂજા મુહૂર્ત

પંચાંગ અનુસાર 17 જાન્યુઆરી 2025ના રોજ સવારે 4:06 મિનિટે ચોથ શરૂ થશે અને 18 જાન્યુઆરી 2025 ના સવારે 5:30 સુધી રહેશે.

17 જાન્યુઆરી પંચાંગ

  • વાર: શુક્રવાર
  • વિક્રમ સંવત: 2081
  • શક યુગ: 1946
  • મહિનો/સ્વરૂપ: પોષ મહિનો - માઘ કૃષ્ણ પક્ષ
  • તારીખ: ચતુર્થી તિથિ રાત્રે 05:30 સુધી રહેશે, ત્યારબાદ પંચમી તિથિ રહેશે.
  • ચંદ્ર રાશિ: સિંહ રાશિમાં ગોચર કરશે.
  • ચંદ્ર નક્ષત્ર: માઘ નક્ષત્ર બપોરે 12:44 સુધી રહેશે. ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હશે.
  • યોગ: સૌભાગ્ય યોગ રાત્રે 12:56 સુધી રહેશે. શુભ યોગ બનશે.
  • સૂર્યોદય: સવારે 07:18
  • સૂર્યાસ્ત: સાંજે 05:43
  • રાહુકાલ: સવારે 11:13 થી બપોરે 12:31 સુધી
  • અભિજીત મુહૂર્ત: બપોરે 12:10 થી 12:51 સુધી
  • ઉપવાસના તહેવારો: સંકષ્ટી ગણેશ ચતુર્થી, શકિત ચોથ

દિવસના ચોઘડિયા

  • ચલ - સામાન્ય: 07:15 AM થી 08:34 AM
  • લાભ - ઉન્નતિ: 08:34 AM થી 09:53 AM
  • અમૃત - સર્વોત્તમ: 09:53 AM થી 11:12 AM
  • શુભ - ઉત્તમ: 12:31 PM થી 01:51 PM

રાત્રિના ચોઘડિયા

  • લાભ - ઉન્નતિ: 09:07 PM થી 10:49 PM
  • શુભ - ઉત્તમ: 12:31 PM થી 02:12 PM
  • અમૃત - સર્વોત્તમ: 02:12 PM થી 03:54 PM
  • ચલ - સામાન્ય: 03:54 PM થી 05:36 AM

ચંદ્ર કેટલા વાગે નીકળશે?

સંકટ ચોથના દિવસે ચંદ્ર ઉદય દિલ્હીના સામે મુજબ રાતે 09:09 વાગે દેખાશે. આ સમય દરેક શહેર મુજબ અલગ-અલગ હોય શકે છે.

વધુ વાંચો: ગઢડાના મેલડી માંએ પૂર્યા પરચા, સાચી આસ્થા રાખતા 250 વર્ષ પહેલા નીકળ્યું હતું કુવામાંથી પાણી

સંકટ ચોથનું મહત્ત્વ

સંકટ ચોથનું વ્રત માતાઓ તેમના સંતાનની સુખાકારી માટે કરે છે. સકટ વ્રતની કથા સકટ માતાના માયાળુ સ્વભાવનું વર્ણન કરે છે. સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lord Ganesha Sankat Chauth Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ