આજે સંકટ ચોથનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આમ તો આ ચોથ દર મહિને આવે છે પણ આજની ચોથનું ખાસ મહત્વ છે. ખાસ મંત્ર સાથે સંતાનોની લાંબી ઉંમર અને સલામતી માટે આ વ્રત રાખવામાં આવે છે.
આજે ઉજવાશે સંકટ ચોથ
પૂજામાં આ ખાસ મંત્રનો કરો ઉપયોગ
સંતાનોની સલામતી માટે કરાય છે આજે વ્રત
દેશભરમાં આજે સંકટ ચોથની ઉજવણી થી રહી છે. માઘ મહિનાની કૃષ્ણ પક્ષની ચોથનું ખાસ મહત્વ છે. સંકટ ચોથને તિલકુટા ચોથ, સંકટા ચોથ, માધી ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને માતાઓ પોતાના સંતાનોની સલામતી અને લાંબી ઉંમર માટે વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા અર્ચના કરે છે. આખો દિવસ કંઈ પણ ખાધા વિના તેઓ નિર્જળા વ્રત રાખે છે, આ દિવસે ખાસ મંત્ર સાથે પૂજા કરાય તો તેનું ખાસ ફળ પણ મળે છે.
આ વિધિથી કરો આજનું વ્રત
સંતાનની લાંબી ઉંમર માટે વ્રત રાખનારી માતાઓ સવારે ન્હાઈને તૈયાર થઈને વ્રતનો સંકલ્પ લે. આખો દિવસ મનમાં ગણેશજીનું સ્મરણ કરે. રાતે ભગવાન ગણેશની પૂજા કરે અને પછી બીજા દિવસે ન્હાઈને પૂજા કરીને વ્રત ખોલી શકે છે.
આ મંત્ર વાંચીને કરો સંકટ ચોથનું વ્રત
ગણેશ ભગવાનની પૂજા માટે એક સાફ ચૌકી લો. તેની પર પીળા રંગનું સાફ કપડું પાથરો, આ પછી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો. આ પછી વિધિ વિધાન સાથે મંગળા આરતી સાથે ગણેશજીની પૂજા કરો. આ પછી ધાબા પર જઈને ચંદ્ર દેવતાના દર્શન કરો અને તમારી છેલ્લી આંગળીમાં કુશ પહેરીને લોટાના જળથી વાળની લટ બનાવીને તેને ધુઓ. હવે ચંદ્રની આરતી કરો અને ચૌકીની પરિક્રમા કરીને આ મંત્ર બોલો.
आज संकट की रात. चार दिया, चार बाती.
जो बाधा हो वो छूट जाए, जो बिछडा हो वो मिल जाए
આ મંત્ર બોલીને 7 વાર પરિક્રમા કરો. આ પછી ચંદ્ર દેવને પ્રણામ કરો અને સંતાનની લાંબી આયુ માટે અને સ્વસ્થ જીવનની કામના કરો. ભૂલ ચૂકની પણ માફી માંગો. આ પછી મહિલાઓ દૂધમાં શક્કરિયા અને ડ્રાય ફ્રૂટ્સ નાંખીને ચા પી શકે છે.