આજે શુક્રવાર અને સાથે જ સંકટ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે લોકો શુભકામ અને સાથે જીવનમાં પ્રગતિની કામના ગૌરી પુત્ર ગણેશને કરે છે. ભગવાન શ્રી ગણેશને સંકટ મુક્ત કરવાની કામના સાથે જો કેટલાક ખાસ મંત્રોચ્ચાર આ દિવસે કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે અને તમારી તમામ મનોકામનાઓ સિદ્ધ થાય છે.
આજે ઉજવાઈ રહી છે સંકટ ચતુર્થી
ભગવાન ગણેશને કરો તમામ મનોકામનાઓ માટે આરાધના
આ ખાસ મંત્રોચ્ચાર સાથે કરો ભગવાન ગણેશની આરાધના
તમે જાણતા જ હશો કે ભગવાન ગણેશનો બીજ મંત્ર ગં છે.
ગણેશજીનો તાંત્રિક મંત્ર
ओम ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गरु गणेश।
ग्लौम गणपति, ऋदिध पति, सिद्धि पति, मेरे कर दूर क्लेश।।
માન્યતા છે કે આ મંત્રનો 108 વાર જાપ કરનારી વ્યક્તિની તમામ મનોકામનાઓ ભગવાન શ્રી ગણેશ જાણે છે અને તેની તમામ કામનાઓ પૂરી થાય છે.
ગણેશજીનો કુબેર મંત્ર
ओम नमो गणपतये कुबेर येकदिर्को फट् स्वाहा।
આ મંત્રનો જાપ કરીને ભગવાન ગણેશ પાસે ધનની કામના કરવામાં આવે છે. જે લોકોની ધનની ઈચ્છા હોય તે આ ખાસ દિવસે આ ખાસ મંત્રનું ઉચ્ચારણ કરે છે અને તેની 7 માળા કરી દાન કરે છે તેને યોગ્ય ફળ ભગવાન ગણેશજી આપે છે.
ગાયત્રી ગણેશ મંત્રનો જાપથી ભગવાન ગણેશ ઘર પરિવારમાં સમૃદ્ધિની કામના માટે કરાય છે. આ મંત્ર સાચી શાંતિ આપે છે. તેનો 108 વાર જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે.
ઝઘડાનો નાશ કરવા
गं क्षिप्रप्रसादनाय नमः
ગણેશજીના આ મંત્રના જદાપથી કકળાટ દૂર થાય છે. કાર્ય સ્થળે કે પરિવારમાં થનારા ક્લેશથી મુક્તિ માટે આ મંત્રનો જાપ કરવો. તેની 5 માળા અચૂક આજના દિવસે કરો.