હિન્દૂ ધર્મ અનુસાર કોઇપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજા વિના શરૂ કરવામાં આવતી નથી. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. શ્રી ગણેશને ચતુર્થી તિથિના અધિષ્ઠાતા માનવામાં આવે છે. આજના દિવસે ભક્ત શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત રાખે છે. જેનું ખુબ જ અનેરું મહત્વ રહેલું છે.
હિન્દૂ ધર્મ અનુસાર કોઇપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજા વિના શરૂ કરવામાં આવતી નથી. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. શ્રી ગણેશને ચતુર્થી તિથિના અધિષ્ઠાતા માનવામાં આવે છે. આજના દિવસે ભક્ત શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત રાખે છે. જેનું ખુબ જ અનેરું મહત્વ રહેલું છે.
સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનો અર્થ થાય છે-સંકટોને હરનારી. ભગવાન ગણેશ બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર છે. તેમની ઉપાસના કરવાથી શીઘ્ર ફળ મળે છે. જો તમારા જીવનમાં સમસ્યાઓ છે અને આપ સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા ઇચ્છો છો તો આજે વ્રતની સાથે આ વિધિથી શ્રી ગણેશની પૂજા જરૂર કરવી.
1) સૂર્યોદય પહેલા ઉઠી નિત્યક્રિયા પૂર્ણ કર્યા બાદ સ્વચ્છ પાણીથી સ્નાન કરવું.
2) ત્યારબાદ લાલ વસ્ત્ર પહેરવું.
3) બપોરના સમયે ઘરમાં દેવસ્થાન પર સોનું, ચાંદી, પિત્તળ, માટી અથવા તાંબાના શ્રી ગણેશની પ્રતિમા સ્થાપિત કરો.
4) ત્યારબાદ સંકલ્પ લે અને ષોડશોપચાર પૂજન કર્યા બાદ ભગવાન ગણેશની આરતી કરવી.
5) 'ॐ गं गणपतयै नम:' નો જાપ કરવો.
6) હવે ભગવાન ગણેશની પ્રતિમા પર સિંદુર ચઢાવવું અને 'ॐ गं गणपतयै नम:' નો જાપ કરતા 21 ધરો ચઢાવવી.
7) શ્રી ગણેશને 21 લાડુઓનો ભોગ ચઢાવવો અને આ લાડુઓ ચઢાવ્યા બાદ પાંચ લાડુ બ્રાહ્મણોને દાન કરવા, જ્યારે પાંચ લાડુ ગણેશ દેવતાના ચરણોમાં રાખવા જોઇએ. બાકી પ્રસાદના રૂપે વહેંચવો જોઇએ.
પૂર્ણ વિધિ વિધાનથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરતા શ્રી ગણેશ સ્તોત્ર, અથર્વશીર્ષ, સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરવો.