કહેવામાં આવ્યું છે કે સંકટ ચોથને વિશેષ ગણેશ પૂજા કરવાથી અનેક કામનાઓ પૂરી થવા લાગે છે, એટલા માટે જાણકાર લોકો આ ઉપવાસ કરીને વિશેષ પૂજા કરીને પ્રાર્થના કરે છે. 17 ઑક્ટોબર એટલે કે ગુરુવારે સંકટ ચોથ છે.
એક એવી માન્યતા છે કે સંકટ ચોથના દિવસે કરવામાં આવેલી ગણેશ પૂજાનું ફળ જલ્દીથી મળે છે. સંકટ ચોથને ભગવાન ગણેશનું પૂજન અને વ્રત કરવા માટે ખૂબ જ મહ્તવપૂર્ણ દિવસ માનવામાં આવ્યો છે.
સામાન્ય રીતે સંકટ ચોથનું વ્રત અને પૂજન દરેક મહિનામાં થાય છે. પરંતુ કાર્તિક માસ કૃષ્ણ પક્ષની સંકટ ચોથને શાસ્ત્રના જાણકાર ખૂબ જ શુભ ફળદાયી જણાવે છે. આ દિવસે ઉપવાસ રાખીને ભગવાન શ્રીગણેશની વિશેષ પૂજા આરાધના કરવાથી એ જલ્દીથી પ્રસન્ન થઇ જાય છે અને પોતાના ભક્તની તમામ મનોકામના પૂર્ણ કરી દે છે.
સંકટ ચોથના દિવસે સૂર્યોદય પહેલા ઊઠીને ગંગાજળ મિક્સ કરીને પાણીથી સ્નાન કરવું જોઇએ.
ઉત્તર દિશાની તરફ મોઢું કરીને ભગવાન શ્રીગણેશની પૂજા કરીને એમને શુદ્ધ પાણી અર્પણ કરવું જોઇએ.
આ દિવસે વ્રત રાખવાથી વિશેષ કૃપા કરે છે ગણેશ જીય.
ભગવાન શ્રી ગણેશના બીજ મંત્રોનો જપ પણ કરવો જોઇએ.
જપ અને પૂજન કર્યા બાદ પાણીમાં તલ મિક્સ કરીને સૂર્યને અર્ધ્ય આપવું જોઇએ.
આ દિવસે સાંજના સમયે પણ વિધિવત ગણેશ જી ની પૂજા કરવી જોઇએ.
આ દિવસે ગણેશ જી ને દુર્વા પણ અર્પિત કરવા જોઇએ, આવું કરવાથી વ્યક્તિના ધન સમ્માનમાં વૃદ્ધિ થાય છે.
આ દિવસે ગણેશ જી ને તુલસી ભૂલથી પણ ચઢાવવી જોઇએ નહીં.
સંકટ ચોથના દિવસે તલના લાડુનો ભોગ લગાવવાથી ભગવાન ગણેશ જી પ્રસન્ન થઇ જાય છે.
સંકટ ચોથના દિવસે સાંજે ચંદ્રને અર્ધ્ય આપવું જોઇએ.
આ દિવસે ઉપવાસ રાખનાર લોકો કંદમૂળનું સેવન ભૂલથી પણ કરશો નહીં.
સંકટ ચોથનો ઉપવાસ તલનો લાડુ અથવા તલ ખાઇને ખોલવો જોઇએ
ઉપરોક્ત વિધિથી પૂજન કરવા પર વિધ્નહર્તા ભગવાન શ્રીગણેશ પ્રસન્ન થાય છે.