23 ડિસેમ્બરના રોજ આઈપીએલ 2023ના મિનિ ઓક્શનમાં ઘણાયુવા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ પર બોલી લાગી હતી અને તેમાંથી એક છે કેરળના અબ્દુલ બાસિત
આઈપીએલમાં સારું રમવા પર ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી શકે
અબ્દુલ બાસિતને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો
સંજુની કેપ્ટનશિપ હેઠળ બાસિત ડેબ્યૂ કરતાં નજર આવશે
અબ્દુલ બાસિતના પિતા છે બસ ડ્રાઈવર
ઇંડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2023ને લઈને ફરી એક વાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલ જ 23 ડિસેમ્બર શુક્રવારના રોજ આઈપીએલ 2023ના મિનિ ઓક્શનનો આયોજન કોચિમાં કરવામાં આવ્યું હતું. આઈપીએલ યુવા ખેલાડીઓ માટે સૌથી મોટું પ્લેટફોર્મ છે. જો ખેલાડીઓ ત્યાં સારું પ્રદર્શન કરી લે છે તો સીધી એમને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી શકે છે, ઉદાહરણ તરીકે ઉમરાન મલિક.
અબ્દુલ બાસિતને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો
જણાવી દઈએ કે 23 ડિસેમ્બરના રોજ આઈપીએલ 2023ના મિનિ ઓક્શનમાં ઘણાયુવા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ પર બોલી લાગી હતી અને તેમાંથી એક છે કેરળના અબ્દુલ બાસિત. જેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. કેરળના મિડલ ઓર્ડર બેટ્સમેન અબ્દુલ બાસિતને IPL 2023 મીની-ઓક્શન દરમિયાન રાજસ્થાન રોયલ્સ દ્વારા તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
Abdul Basith, son of a KSRTC Driver from Ernakulam joins @rajasthanroyals. Nervous Basith left home when #IPLAuction started. When he returned,family was waiting with cake! Basith’s father was away for Sabarimala duty and couldn’t join.@IamSanjuSamson pic.twitter.com/U3lWjRNhBx
સંજુની કેપ્ટનશિપ હેઠળ બાસિત ડેબ્યૂ કરતાં નજર આવશે
આ સાથે જ તમને જણાવી દઈએ કે અબ્દુલ બાસિતે કેરળ માટે આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સંજુ સેમસનની કેપ્ટન્સીમાં ડેબ્યૂ કર્યું હતું. તેમાં અબ્દુલ બાસિતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેના પ્રદર્શનથી સંજુ સેમસન એટલો પ્રભાવિત થયો હતો કે તેને બાસિતને રાજસ્થાન બોલાવી લીધો હતો. જો કે હવે જલ્દી જ આઈપીએલમાં સંજુની કેપ્ટનશિપ હેઠળ બાસિત ડેબ્યૂ કરતાં નજર આવશે.
પિતા છે બસ ડ્રાઈવર
અબ્દુલ બાસિતની અત્યાર સુધીની સફર વિશે વાત કરીએ તો 24 વર્ષીય અબ્દુલ બાસિતની આઈપીએલ સુધીની સફર બિલકુલ સરળ નહોતી. બાસિતે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. તેના પિતા વિશે જણાવીએ તો અબ્દુલ બાસિતના પિતા કેરળ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં બસ ડ્રાઇવર તરીકે કામ કરે છે.
જણાવી દઈએ કે IPL 2023ની હરાજીને લઈને અબ્દુલ એટલો ચિંતિત અને બેચેન હતો કે જ્યારે હરાજી શરૂ થઈ ત્યારે તે ઘરની બહાર નીકળી ગયો હતો, એ પછી જ્યારે તે ઘરે પરત ફર્યો ત્યારે આખા પરિવારે તેનું કેક સાથે સ્વાગત કર્યું હતું. સાથે જ એ સમયે બાસિતના પિતા એ સમયે ડ્યૂટી પર હતા જેના કારણે તેઓ ત્યાં હાજર રહી શક્યા ન હતા.