બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / ગોંડલ ગણેશ મારામારી કેસમાં ઉકળતો ચરુ, રાજૂ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે શાબ્દિક યુદ્ધ
Last Updated: 08:02 PM, 12 June 2024
જૂનાગઢના દલિત યુવકને માર મારવા મામલે વિરોધથી લઈ તપાસ સુધીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં રાજુ સોલંકી જયરાજસિંહ જાડેજાને પડકાર ફેંકી રહ્યાં છે. તો બીજી તરફ પોલીસે ગણેશ જાડેજા સહિત 11 આરોપીની પૂછપરછ કરી છે
ADVERTISEMENT
જયરાજસિંહ જાડેજાને પડકાર ફેંકયો
ADVERTISEMENT
જૂનાગઢના સંજય સોલંકીનું અપહરણ અને માર મારવાના કેસમાં દલિત સમાજે આજે પ્રતિકાર મહાસંમેલનનું આયોજન કર્યુ હતું. જૂનાગઢથી બાઇક રેલી લઇ પહોંચેલા દલિત સમાજના આગેવાનોએ ગોંડલમાં સંમેલન કર્યુ. આ સંમેલનમાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ આક્રોશ વ્યક્ત કર્યો. એટલું જ નહીં આરોપી ગણેશ જાડેજાના પિતા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને પડકાર ફેંકયો. આ ઉપરાંત ચીમકી પણ આપી કે આગામી આંદોલન ધારાસભ્ય ગીતાબા જાડેજાના રાજીનામા માટે હશે.
જયરાજસિંહ જાડેજાનું નિવેદન
જયરાજસિંહએ કહ્યું કે, રેલીમાં આ લોકો નિવેદન આપે તેમને મારે જવાબ આપવો જોઈએ તેવું મને લાગતું નથી. એના લેવલ અને મારા લેવલમાં ઘણો તફાવત પડે છે. મીડિયામાં ભ્રામક પ્રચાર થયો છે તે બાબતે જવાબ મારે કે, ગણેશ ને નથી આપવાનો એ ગોંડલની જનતાને જવાબ આપવાનો છે.
વાંચવા જેવું: ખાનગી સ્કૂલ વાનમાં બાળકોને શાળાએ મૂકતાં વાલીઓ એલર્ટ, DEOએ જણાવી સ્કૂલ અને વાલીની જવાબદારીઓ
11 આરોપીની પૂછપરછ
તો બીજી તરફ ડિવિઝન પોલીસ ગણેશ જાડેજા સહિત 11 આરોપીની જેલમાં પૂછપરછ હાથ ધરી હતી. હાલ આરોપીઓ કોઈ બાબત પર બોલવા તૈયાર માટે નથી. ત્યારે 3 આરોપીઓ પાસેથી મોબાઈલ કબજે કરાયા છે. મારામારીનો વીડિયો ઉતાર્યો છે કેમ તે અંગે મોબાઈલમાં તપાસ કરાઈ રહી છે. સંજય સોલંકીના હાથમાં રહેલા ટેટૂને લઈને અભદ્ર ટિપ્પણીનો પણ આરોપ છે ત્યારે રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન સંજય સોલંકીએ આ મામલે ફરિયાદ કરી છે. પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.