કંગના રાણાવત વિવાદ અંગે જયંત બોસ્કીનું નિવેદન સામે આવ્યું છે. NCPના ગુજરાત પ્રમુખ જયંત બોસ્કીએ આ અંગે જણાવ્યું હતુ કે, કંગના રાણાવત ભાજપનું મહોરું ના બને.
કંગના રાણાવત ભાજપનું મહોરું ના બને-બોસ્કી
મહારાષ્ટ્ર માટે કરેલી ટિપ્પણી અયોગ્ય અને અપમાનજનક-બોસ્કી
સંજય રાઉતે અમદાવાદ કે ગુજરાત વિષે કોઈ ખોટી ટિપ્પણી નથી કરી-બોસ્કી
કંગના રાણાવત વિવાદ અંગે જયંત બોસ્કીનું નિવેદન સામે આવ્યું છે. NCPના ગુજરાત પ્રમુખ જયંત બોસ્કીએ આ અંગે જણાવ્યું હતુ કે, કંગના રાણાવત ભાજપનું મહોરું ના બને. મહારાષ્ટ્ર માટે કરેલી ટિપ્પણી અયોગ્ય અને અપમાનજનક છે. સુશાંતસિંહ એક સારો કલાકાર હતો. સુશાંતસિંહે કોઈ કારણોસર આત્મહત્યા કરી. હજારો ખેડૂતો પણ આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોની આત્મહત્યા એ વધારે ચિંતાનો વિષય છે. સંજય રાઉતે અમદાવાદ કે ગુજરાત વિષે કોઈ ખોટી ટિપ્પણી નથી કરી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. NCPએ તમામ બેઠકો પર લડવાની જાહેરાત કરી છે. NCP ગુજરાત પ્રમુખ જયંત બોસ્કીએ કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઇ ગઠબંધન થશે નહીં. યુવાનો, મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. તમામ સમાજના લોકોને પ્રાધાન્ય અપાશે. NCP તાલુકા-જિલ્લા સેન્ટર પર મેમ્બરશિપ અભિયાન ચલાવશે.
કંગના પર પ્રહાર કરવામાં ભાન ભૂલી ગયા સંજય રાઉત
બોલિવૂડ અભિનેત્રી કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાનના કબ્જા હેઠળના પાકિસ્તાન સાથે કરી હતી. તે બાદ હવે સંજય રાઉતે કહ્યું કે તે યુવતી મહારાષ્ટ્રથી માફી માંગશે તો હું વિચાર કરીશ. સાથે જ તેમણે સવાલ કર્યો કે મુંબઈને મીની પાકિસ્તાન કહી રહી છે શું તેનામાં હિંમત છે અમદાવાદ વિશે આવું કહેવાની ?
સંજય રાઉત શું કહેવા માગે છે કે અમદાવાદમાં પાકિસ્તાન જેવી સ્થિતિ છે?
શિવસેના નેતા સંજય રાઉત વાતવાતમાં અમદાવાદ પર પ્રહાર કરી ગયા. કંગના પર પ્રહાર કરવા ગયેલા સંજય રાઉત જાણે ભાન ભૂલી ગયા હોય તેમ ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કરી રહ્યા છે. શિવસેના નેતા સંજય રાઉત પોતાના વિવાદિત નિવેદનોથી સતત ચર્ચામાં રહે છે.અને આ વખતે તેમણે અમદાવાદ પર પ્રહાર કર્યા છે. ત્યારે અમદાવાદીઓ સવાલ કરી રહ્યા છે કે શું આ સત્તાનો નશો બોલી રહ્યો છે. સંજય રાઉત કહેવા માંગે છે કે અમદાવાદમાં પાકિસ્તાન જેવી સ્થિતિ છે ?
વર્તમાનમાં સુશાંત કેસ મુદ્દે ચાલી રહ્યો છે વિવાદ
રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આ પહેલા કહ્યું હતું કે જે શહેરમાં કંગના રહે છે, જ્યાં તમે કમાઓ છો. ત્યાની પોલીસ વિશે જેમતેમ બોલવાની વાતો કરી ર્હ્હી છે. મુંબઈ પોલીસે હુમલાઓમાં લોકોને બચાવ્યા છે. કસાબને પકડ્યો છે. કોરોના સંકટમાં 50થી વધારે પોલીસકર્મીઓએ પોતાના જીવ આપી દીધા અને તે પોલીસ વિશે આ બધું બોલી રહી છે.