ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેના પાર્ટી અને મહારાષ્ટ્ર સરકાર બંને હાલમાં મોટા વિવાદોમાં સંકળાયેલા છે. રાજ્ય સરકાર દયથે ચાલી રહેલા વિવાદની વચ્ચે જ્યાં બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી ત્યારે શિવસેનાના કાર્યકરો દ્વારા એક પૂર્વ નૌસેના અધિકારીપર હુમલાની ઘટના બાબતે ફરીથી એક નવો વિવાદ જન્મ લઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. આ બાબતે શિવસેના નેતા સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
શિવસેના નેતા સંજય રાઉતે આપી પ્રતિક્રિયા
પૂર્વ નૌસેના અધિકારી પર હુમલાની ઘટના સંદર્ભે આપ્યું નિવેદન
ઉત્તર પ્રદેશમાં કેટલા એક્સ સર્વિસમેન પર થયો છે હુમલો? : સંજય રાઉત
મહારાષ્ટ્રમાં વિવાદો શિવસેના અને સરકાર બંનેનો લગાતાર પીછો કરી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. શિવસેનાના કાર્યકરો દ્વારા એક પૂર્વ નૌસેના ઓફિસર સાથેની મારપીટની ઘટનાના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ બાબતે પૂર્વ નૌસેના અધિકારીનું એક નિવેદન પણ આવ્યું હતું જેમાં તેમણે ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદેથી રાજીનામાંની માંગણી કરી હતી, જેના પર સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહયુ હતું કે મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય છે અહી આવી ઘટના કોઇની સાથે પણ ઘટી શકે છે.
મહારાષ્ટ્રમાં થાય છે હમેશા કાયદાનું સન્માન : સંજય રાઉત
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે,"મહારાષ્ટ્રમાં કાયદાનું હંમેશાં સન્માન કરવામાં આવે છે. આરોપીઓને તુરંત જ ધરપકડ કરવામાં આવી હતી, ભલે તેઓ કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલા હોય." જો કે કંગના રનૌતના મુદ્દે તેમણે કહ્યું હતું કે અમે આ મુદ્દા પર વાત કરવાનું બંધ કરી દીધું છે, જો કે કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિ આપના મહાન રાજ્ય વિશે શું મત ધરાવે છે તેને અમે નોટિસ કરી રહ્યા છીએ.
The law is always respected in Maharashtra. The accused were arrested immediately, irrespective of the party they were associated with: Shiv Sena's Sanjay Raut over attack on a retired Navy officer in Mumbai https://t.co/6eM606UCDZ
સાથે જ તેમણે કહ્યું હતું કે શું તમે જાણો છો કે ઉત્તર પ્રદેશમાં કેટલા એક્સ સર્વિસ મેં પર હુમલો થયો છે? છતાં પણ સંરક્ષણ પ્રધાને કોઈને બોલાવ્યા નથી. અમારી સરકાર કોઈ પણ નિર્દોષ પર હુમલાને માન્યતા આપશે નહીં.
શું છે મામલો?
શનિવારે નૌસેનાના એક નિવૃત્ત અધિકારીએ માંગ કરી કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર કાર્ટૂન શેર કરવા બદલ છ કથિત શિવસેના કાર્યકરો દ્વારા તેમની મારપીટના સંદર્ભે મુખ્યમંત્રી તેમની અને દેશની માફી માંગે.
We've stopped talking about the Kangana Ranaut issue. But we're taking note of everything & every action which precipitates, in this matter. We'll understand which political party and which individual, think what, of our great state: Sanjay Raut, Shiv Sena leader & Rajya Sabha MP pic.twitter.com/OR2nZrohI0
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આપે રાજીનામું: પૂર્વ નેવી ઓફિસર
પૂર્વ નેવલ અધિકારી મદન શર્માએ એમ પણ કહ્યું હતું કે જો તેઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અસમર્થ છે, તો ઠાકરેએ તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. શર્મા સાથે શુક્રવારે કાંદિવલીના લોખંડવાલા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આ ઘટના બની હતી.
આ કેસમાં છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ શનિવારે તેમને જામીન મળી ગયા હતા. શર્માએ પત્રકારોને કહ્યું, "જો મારા કે મારા પરિવારને કંઇપણ થાય છે, તો હું ઉદ્ધવ ઠાકરેને દોષી ઠેરવીશ."
તેમણે કહ્યું કે, જો ઠાકરે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળી શકતા નથી, તો તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. આ દરમિયાન શર્માને વિપક્ષી ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ટેકો મળ્યો છે. ફડણવીસે આક્ષેપ કર્યો હતો કે, મુખ્યમંત્રીએ આ ગુંડા રાજને બંધ કરવો જોઈએ, અને દબાણને કારણે આરોપીઓને દસ મિનિટમાં છૂટા કરવામાં આવ્યા હતા. આમ કહીને ફડણવીસે ઉદ્ધવ સરકારના આ પગલાંની ટીકા કરી હતી.