એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂ દરમીયાન સંજય રાઉતએ હુંકાર કરતા જણાવ્યું કે માત્ર સાંસદ અને ધારાસભ્યને તોડવાથી પાર્ટી સમાપ્ત થતી નથી.
મહારાષ્ટ્રના રાજકરણને લઈને સંજય રાઉતનો હુંકાર
માત્ર સાંસદ અને ધારાસભ્યને તોડવાથી પાર્ટી સમાપ્ત થતી નથી
શિંદે જૂથ અને ભાજપને સમય આવ્યે જનતા જવાબ આપશે
સંજય રાઉતે કહ્યું હતું કે શિંદે જૂથ અને ભાજપને સમય આવ્યે જનતા જવાબ આપશે. માત્ર ધારાસભ્ય અને સાંસદને તોડવાથી પક્ષ તૂટી શકતો નથી. વધુમાં સંજય રાઉતે કહ્યું કે ભાજપને નરેન્દ્ર મોદી ચલાવી રહ્યા છે. વધુમાં મોદીના કેબિનેટ વિસ્તરણમાં શિંદે જૂથના સભ્યોને સામેલ કરવામાં આવશે ? આ અંગેના પ્રશ્નનો જવાબમાં સંજય રાઉતે કહ્યું કે જે લોકો અમારામાંથી ગયા છે તેઓ હવે ભાજપની રાજનીતિ કરશે. જેની પાછળનો ઇરાદો એવો છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાને ખતમ કરો. પરંતુ એ ક્યારેય નહીં બને. આ પાર્ટી આજે પણ બાળાસાહેબ ઠાકરેના નામ પર ચાલે છે. મહારાષ્ટ્રના લોકો ભાજપની રમત જાણે છે અને તેનાથી વિરુદ્ધ છે. માત્ર સાંસદ અને ધારાસભ્યને તોડવાથી પાર્ટી સમાપ્ત થતી નથી.
ભાજપની આ રમત ચાલશે નહીં
વધુમાં સંજય રાઉતે કહ્યું કે કાર્યકર્તાઓ પાર્ટીનો પાયો અને આધાર છે. જેઓ જમીન પર કાર્ય કરતા હોવાથી બાળાસાહેબ ઠાકરેના લોકો અમારી સાથે છે જે ભાજપ રમત જાણે છે પરંતુ ભાજપની આ રમત ચાલશે નહીં. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર કેબિનેટ વિસ્તરણમાં બિહારના ચિરાગ પાસવાન, શિવસેના (શિંદે જૂથ) અને તમિલનાડુમાંથી AIDMKનો મોદી કેબિનેટમાં સમીલ કરવામાં આવી શકે છે. ઉપરાંત કેબિનેટ વિસ્તરણમાં રાજસ્થાન, મેઘાલય સહિત નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને કેન્દ્રમાં રાખીને સમાવેશ કરવામાં આવશે.
શુ છે મહારાષ્ટ્રનું રાજકારણ?
સમગ્ર મામલો એવો છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈને એકનાથ શિંદે 40થી વધુ ધારાસભ્યો અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યારબાદ એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા હતા. ઉપરાંત ગત વખતે સીએમ રહેલા દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ શિંદે અને ઉદ્ધવ જૂથમાં શિવશેના વહેંચાઈ ગઈ. હવે શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બન્ને દાવો કરી રહ્યા છે કે પોત પોતાના જૂથ માજ બાળાસાહેબ ઠાકરેની અસલી શિવસેના છે. જેને લઈને આ સાથે બંને જૂથના નેતાઓ એકબીજા પર આવી ગયા હતા.