શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તેમના પર મહારાષ્ટ્રની ઠાકરે સરકાર પાડવાના માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે.
શિવસેના નેતા સંજય રાઉત ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો
મહારાષ્ટ્રની સરકાર ઉખેડી ફેંકવા કરી રહ્યા છે દબાણ
ના પાડવા પર જેલમાં મોકલવાની મળે છે ધમકી
શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તેમના પર મહારાષ્ટ્રની ઠાકરે સરકાર પાડવાના માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, મને ઈડી દ્વારા ફસાવાની કોશિશ થઈ રહી છે. રાજ્યસભા સાંસદ સંજય રાઉતે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખીને આ તમામ આરોપ અને દાવા કર્યા છે.
સંજય રાઉતે પત્રમાં લખ્યું છે કે, મારા પર મહારાષ્ટ્રના ઠાકરે સરકાર પાડવાનું દબાણ નાખવામાં આવી રહ્યું છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે, મને ઈડી દ્વારા ફસાવાની કોશિશ કરવામાં આવી રહી છે.
દિકરીના લગ્નમાં થયેલા ખર્ચની પણ થઈ રહી છે તપાસ
સંજય રાઉતે લખ્યું છે કે ઠાકરે સરકાર પાડવા માટે મારા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું અને ના પાડવાના કારણે ઈડી દ્વારા મને ફસાવાની કોશિશ થઈ રહી છે. સંજય રાઉતે જણાવ્યું હતું કે, 17 વર્ષ જૂની જમીન ખરીદવાના મામલે ઈડીએ તપાસ શરૂ કરી છે અને દિકરીના લગ્નમાં થયેલા ખર્ચની પણ તપાસ થઈ રહી છે. તથા વેંડર્સને ધમકાવામાં આવી રહ્યા છે. રાઉતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પાસે હસ્તક્ષેપ કરવા અને કાર્યવાહી કરવાની માગ કરી છે.
जिसने कुछ गलत किया नहीं ,
उसे किसी का डर नहीं सताता !
It's clearly evident that some leaders of MVA are scared. If they have not done any financial scam ? then why are they scared ?
राजेश खन्ना के अंदाज में ..
ये पब्लिक है सब जानती है!
સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા પર જેલમાં ધકેલી દેવાની ધમકી
સંજય રાઉતે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખીને કેન્દ્ર સરકાર તરફથી તપાસ એજન્સીઓનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યસભા સાંસદે પત્રમાં કહ્યું છે કે, લગભગ એક મહિના પહેલા અમુક લોકો મારા સંપર્કમાં આવ્યા અને કહ્યું કે, ઠાકરે સરકારને પાડવામાં અમારી મદદ કરો. તે લોકો ઈચ્છતા હતા કે, હુ આ પ્રકારની કોશિશમાં મહત્વની ભૂમિકા ભજવું જેથી મહારાષ્ટ્રમાં વચ્ચગાળાની ચૂંટણી યોજાઈ. ત્યાર બાદ મેં ના પાડી દીધી, તો મને જેલમાં મોકલી દેવાની ધમકી મળવા લાગી. તેમણે પત્રમાં લખ્યું છે કે, કારણ કે, હું સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવું છું, તેના કારણે મને બળજબરી પૂર્વક ફસાવાની કોશિશ થઈ રહી છે.
ભાજપે કહ્યું- ડરે છે એ લોકો જે ખોટું કરે છે
સંજય રાઉતના ટ્વિટર પર મહારાષ્ટ્ર ભાજપના નેતા રામ કદમે રિટ્વિટ કરતા કહ્યું કે, જે લોકો ખોટુ કરે છે, તેને જ ડર લાગે છે. રામકદમે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે, મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકારના અમુક નેતાઓ ડરેલા છે. જો તેમણે કોઈ કૌભાંડ કર્યા નથી, તો પછી ડરવાની શું જરૂર છે ?