શિવસેના સાસંદ સંજય રાઉત દ્વારા 2022ને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું કહ્યું કે આવતા વર્ષે તેમની પાર્ટી ઉત્તરપ્રદેશ અને ગોવામાં ચૂંટણી લડી શકશે.
2022 પહેલા સંજયરાઉતનું મોટું નિવેદન
આવતા વર્ષે ઉત્તરપ્રદેશ ગોવામાં શિવસેના લડશે ચૂંટણી
ખેડૂતો સંગઠનો આપશે શિવસેનાને સમર્થન
દેશમાં આવતા વર્ષે 2022માં ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને શિવસેના સાંસદ સંજય રાઉત દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે જણાવ્યું કે શિવસેના આવતા વર્ષે ઉત્તરપ્રદેશ અને ગોવામાં વિધાનસભા ચૂટણી લડશે. જેથી આ મુદ્દો હવે રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ખેડૂત સંગઠનો આપશે સમર્થન
સંજય રાઉત દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનો દ્વારા તેમને પાર્ટીને સમર્થન આપવામાં આવ્યું છે. છેલ્લા 10 મહિનાથી ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેનો સિધો ફાયદો શિવસેનાને થઈ શકે છે. કારણે ખેડૂત સંગઠનોએ તેમની પાર્ટીને સમર્થન આપ્યું છે. તેવું સંજય રાઉતનું કહેવું છે.
UPમાં 80 થી 100 સીટો પર ઉતારશે ઉમેદવાર
સમગ્ર મામલે સંજય રાઉતે એવું પણ કહ્યું છે કે શિવસેના ઉત્તરપ્રદેશની 80 થી 100 સીટો પર તેમના ઉમેદવાર ઉતારશે. જ્યારે બીજી તરફ ગોવામાં તેઓ 20 સીટો પર ચૂંટણી લડવાના છે. આપનમે જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની કુલ 403 સીટો છે. જ્યારે ગોવામાં 40 સીટો છે.
નાની પાર્ટીઓ સાથે શિવસેના કરશે ગઠબંધન
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સંજય રાઉતે એવું કહ્યું છે કે ઉત્તરપ્રદેશમાં ખેડૂત સંગઠનો દ્વારા શિવસેનાને સમર્થન આપવાની વાત કરવામાં આવી છે. જેથી તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દાને લઈે નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરી શકે છે. ગોવામાં એમવીએ જેવા સમીકરણ શોધવામાં આવી રહ્યા છે. જે તે મામલે કેટલી સફળતા મળશે તે જોવું રહ્યું તેવું સંજય રાઉત દ્વારા કહેવામાં આવ્યું છે.