મહારાષ્ટ્રમાં આવેલ આશ્ચર્યજનક પલટાને કારણે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ શનિવારે મુખ્યમંત્રી પદેથી પરત ફર્યા હતા જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
મહારાષ્ટ્રના રાજકારણમાં ડામાડોળ યથાવત
સંજય રાઉતે ટ્વીટ કરી ભાજપ પર સાધ્યું નિશાન
સંજયે 'એક્સીડેન્ટલ શપથગ્રહણ ' લખી ટ્વીટ
આવો ઘટનાક્રમ એવા સમયે થયો જ્યારે કોંગ્રેસ અને એનસીપીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં થોડાક કલાક પહેલા સરકાર બનાવવાની સમજૂતીની ઘોષણા કરી હતી. આ અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે સવારે ટ્વીટ કર્યું હતું કે તે 'એક્સીડેન્ટલ શપથગ્રહણ ' છે.
અજીત પવાર પરત ફરી શકે છે
શિવસેનાના નેતા સંજય રાઉતે શનિવારે દાવો કર્યો હતો કે એનસીપી નેતા અજિત પવારને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ સાથે હાથ મિલાવવા 'બ્લેકમેલ' કરવામાં આવ્યા હતા. રાઉતે કહ્યું કે અજિત પવાર એનસીપીના કેમ્પમાં પાછા આવી શકે છે.
રાઉતે પત્રકારોને કહ્યું, 'એનસીપી નેતા ધનંજય મુંડેનો સંપર્ક કરવામાં આવ્યો છે. અજિત પવાર પણ પાછા આવી શકે છે (એનસીપી કેમ્પમાં). અમારી પાસે તેના વિશે જાણકારી છે કે કેવી રીતે અજિત પવારને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા અને તે અંગેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મુંડેને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ અજિત પવારને ટેકો આપી રહ્યા છે. તેમની સાથે કોઈ સંપર્ક નથી.
છેલ્લા કેટલાક દિવસોથી તે ફડણવીસ સાથે સંપર્કમાં હોવાનું કહેવાય છે. મુંડે પર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા, જ્યાં તેમણે તેમના પિતરાઇ ભાઇ અને ભાજપના નેતા પંકજા મુંડેને વિધાનસભાની ચૂંટણીમાં હરાવી હતી. રાઉતે કહ્યું કે, નવી સરકારની રચના સવારે સાત વાગ્યે થઈ હતી. અંધકારની આડમાં માત્ર પાપ કરવામાં આવ્યું છે.
આજે સુપ્રીમમાં સુનાવણી
શિવસેના, કોંગ્રેસ અને NCPએ સુપ્રીમ કોર્ટમાં અરજીની સાથે 288 સભ્યની વિધાનસભામાં 154 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. અરજી કરતાઓએ સુપ્રીમ કોર્ટને બની શકે તેટલું વહેલું સંભવ થયા તો રવિવારે જ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવની ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ આપવાની અપીલ કરી છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આજે 11:30 વાગે સુનાવણી થઇ શકે છે. ત્રણેય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં ફડણવીસ સરકારને ભંગ કરવાની માંગ કરાઇ છે.