કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ આપવાની માંગ પર રાજનીતિ ગરમાઈ છે. હવે શિવસેના સાંસદ અને નેતા સંજય રાઉતે સોનિયા ગાંધીને ભારત રત્ન આપવાની માંગને સમર્થન આપ્યું છે.
હરિશ રાવત પણ સોનિયાના પક્ષમાં આવ્યા
રાઉતે કહ્યું કે કોંગ્રેસના અંતદ્વંદ ડેમોક્રેસીના લક્ષણ છે
નીતિશ કુમારે કટાક્ષ કર્યો
રાઉતે કહ્યું કે કોંગ્રેસના અંતદ્વંદ ડેમોક્રેસીના લક્ષણ છે
ગુરુવારે સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસના અંતદ્વંદ ડેમોક્રેસીના લક્ષણ છે. આના પર કેન્દ્ર સરકારે નિર્ણય લેવો જોઈએ. સોનિયાને ભારત રત્નનો વિરોધ કરનારા સંજય રાઉતે કહ્યું કે આ બાબતે અમે ભાજપને પણ પુછી શકીએ છીએ કે પીએમ મોદી ઉપરાંત કોન છે?
હરિશ રાવત પણ સોનિયાના પક્ષમાં આવ્યા
કોંગ્રેસ મહાસચિવ હરિશ રાવતે બુધવારે કહ્યું હતું કે ભારતીય નારીત્વની ગરિમાને નવી ઉંચાઈએ પહોંચાડવા માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને દેશના શોષિતો તથા પીડિતોની અંતર વિશ્વાસ પેદા કરનાર બસપા પ્રમુખ માયાવતીને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ.
નીતિશ કુમારે કટાક્ષ કર્યો
સોનિયા ગાંધી અને માયાવતીને ભારત રત્ન આપવાની માંગ પર સવાલ પૂછવા પર બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કે માંગ કરવી તમામનો અધિકાર છે. તેમની યૂપીએ સરકાર તો પહેલા પણ 10 વર્ષ સુધી હતી. તે આજે માંગ કરી રહ્યા છે. તેઓ ઈચ્છતા તો પહેલા જ અપાવી શકતા હતા.