સામનાના સંપાદકીયમાં પાર્ટીએ કહ્યું છે કે PM મોદી અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે ભાઈ ભાઈ જેવો સંબંધ છે. આ માટે મહારાષ્ટ્રના નાના ભાઈને પ્રધાનમંત્રીના રૂપમાં સાથ આપવાની જવાબદારી પીએમની છે. આ સાથે સામનામાં રાજ્ય પર પાંચ લાખ કરોડથી વધારેનું દેવું બાકી રાખવા માટે ફડણવીસ પર પ્રહાર કરવામાં આવ્યા છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં નવી સરકારના વખાણ
PM મોદી અને ઉદ્વવ ઠાકરે વચ્ચે ભાઇ જેવા સંબંધઃ સામના
ફડણવીસ પર આરોપ, મહારાષ્ટ્ર પર 5 લાખ કરોડનું દેવું
મહારાષ્ટ્રમાં શિવસેના-NCP અને કોંગ્રેસ સરકારના શપથ ગ્રહણ થયા પછી જ શિવસેનાએ પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે. જો કે, બીજી તરફ સામનાના સંપાદકીયમાં પાર્ટીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરેના ભાઈ-ભાઈ સંબંધ છે. તેથી વડાપ્રધાન તરીકે મહારાષ્ટ્રના નાના ભાઈને ટેકો આપવાની જવાબદારી પીએમ મોદીની છે. આ સાથે ફડણવીસ પર રાજ્ય પર પાંચ લાખ કરોડની લોન લેવાનો આરોપ મૂકાયો છે.
BJP-શિવસેનામાં મતભેદ, મોદી ઉદ્ધવ ભાઈ ભાઈ
સામનાના તંત્રીલેખમાં પીએમ મોદીનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, 'મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ-શિવસેનામાં અસંમત છે પરંતુ નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ભાઈ-ભાઈનો સંબંધ છે. તેથી, મહારાષ્ટ્રના નાના ભાઈને વડા પ્રધાન તરીકે ટેકો આપવાની શ્રી મોદીની જવાબદારી છે. વડા પ્રધાન માત્ર એક પક્ષનો નહીં પણ આખા દેશનો છે. જો આપણે આ સ્વીકારીએ, તો પછી સરકારે શા માટે ક્રોધ અને લાલચ રાખવી જોઈએ? દિલ્હીએ મહારાષ્ટ્રના લોકોએ આપેલા નિર્ણયનો આદર કરવો જોઈએ અને આની કાળજી લેવી જોઈએ, જેથી સરકારની સ્થિરતા ડોલે નહીં.
ફડણવીસે 5 લાખ રૂપિયાનું દેવું બાકી મૂક્યું
સામનાના લેખમાં કહેવાયું છે કે પાંચ વર્ષમાં રાજ્ય પર પાંચ લાખ કરોડનું દેવું બાકી રાખીને ફડણવીસ સરકાર જતી રહી છે. આ માટે નવા મુખ્યમંત્રીએ જે સંકલ્પ કર્યો છે તેની પર સાવધાની સાથે ડગલું માંડ્યું છે. પીએમ મોદીએ નવી સરકાર અને મુખ્યમંત્રીને શુભકામનાઓ આપી છે. પીએમએ સ્પષ્ટ કર્યું છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રનો વિકાસ તીવ્ર ગતિએ થશે. આ માટે કેન્દ્રની નીતિ સહયોગવાળી હોવી જોઈએ. મહારાષ્ટ્રના ખેડૂતોને દુઃખથી ઉગારવા માટે કેન્દ્રને સહયોગનો સાથ મળે તે જરૂરી છે.
ફડણવીસ પર સંજય રાઉતે સાધ્યું નિશાન
ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની રીતે શપથ અપાવ્યા બાદ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે. તેઓએ ફડણવીસના વિપક્ષનું અસ્તિત્વ ન રહેવા માટે જૂના નિવેદનો પર ચર્ચા કરી છે. રાઉતે ટ્વિટર પર લખ્યું છે કે મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ જ નહીં રહે, આવો દાવો કરનારા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિરોધી દળના નેતા તરીકે પસંદ કરવા માટે અભિનંદન.
महाराष्ट्र में विरोधी पक्ष ही नहीं रहेगा, यह दावा करने वाले पूर्व मुख्यमंत्री देवेंद्र फडणवीस को विरोधी दल नेता चुने जाने पर हार्दिक बधाई...!
અન્ય તરફ ઉદ્ધવ સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામને લઈને ફડણવીસે નિશાન સાધ્યું છે. તેઓએ પણ ટ્વિટ કરીને પોતાનો પક્ષ મૂક્યો છે. તેઓએ કહ્યું કે મહાવિકાસ અધાડીએ પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામની જાહેરાત કરી પણ દુર્ભાગ્યની વાત એ છે કે તેમાં મરાઠાવાડા, વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આશા છે કે સરકાર આ બાબતે ધ્યાન આપશે.
महाविकास आघाडीच्या किमान समान कार्यक्रमात वारेमाप घोषणा असल्या तरी मराठवाडा, विदर्भ आणि उत्तर महाराष्ट्र या विकासाच्या वाटचालीत वर्षानुवर्षे मागे राहिलेल्या क्षेत्राचा साधा नामोल्लेख सुद्धा असू नये, हे दुर्दैवी आहे.
नवे सरकार त्याकडे लक्ष देईल, अशी आशा करू या!