મહારાષ્ટ્રની સરકારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે સોમવારે શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે દેશમુખ પર આરોપોને લઇને નિવેદન આપ્યું છે.
જો એવો પગલું ભરી રહ્યા છે તે તેમના માટે ઠીક નહીં હોયઃ રાઉત
મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો કોઇ વાળ પણ વાંકો ન કરી શકેઃ રાઉત
રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામા પર મચેલા ઘમાસાણને લઇને મહારાષ્ટ્રના મંત્રી દેશમુખ મુદ્દે સંજય રાઉતનું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, જો સરકાર યોગ્ય તપાસ માટે તૈયાર છે, તો પછી વારંવાર રાજીનામાની વાત કેમ કરી રહી છે.
સંજય રાઉતે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ કરીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે, પરંતુ જો એવો પગલું ભરી રહ્યા છે તે તેમના માટે ઠીક નહીં હોય. એવું વિચાર્યું તો હું તેમને ચેતવણી આપું છું કે આ આગ તેમને પણ સળગાવી દેશે.
If someone is attempting to get President's Rule imposed in Maharashtra by misusing central agencies, then I am warning them - you yourself will get burnt in that fire: Shiv Sena MP Sanjay Raut pic.twitter.com/96Yc1dNFk4
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જો NCP પ્રમુખ શરદ પવારે આ નક્કી કર્યું છે કે અનિલ દેશમુખ પર જે આરોપ લાગ્યા છે તેમાં તથ્ય નથી તો તેની તપાસ થવી જોઇએ. સંજય રાઉતે કહ્યું કે, જો અમે તમામના રાજીનામા લેતા રહીશું તો સરકાર ચલાવવી મુશ્કેલ થઇ જશે. રાજનીતિમાં નેતાઓ સામે આક્ષેપ થતા હોય છે.
મુંબઈના પૂર્વ કમિશ્નરના ખભા પર રાખીને બંદૂક ચલાવવામાં આવી રહી છેઃ રાઉત
સંજય રાઉતે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી છે, ત્યાં સુધી તમામ તપાસ બિલકુલ સાચી રીતે કરવામાં આવશે. શિવસેના નેતાએ સ્પષ્ટ કર્યું કે, મુંબઈના પૂર્વ કમિશ્નરના ખભા પર રાખીને બંદૂક ચલાવવામાં આવી રહી છે, વિરોધી પક્ષ લોકોને ગુમરાહ ન કરી શકે.
કેન્દ્ર સરકાર પર વરસ્યા સંજય રાઉત
શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓને મહારાષ્ટ્રમાં મોકલવાના પ્રયત્નો થઇ રહ્યા છે, અમે NIAને સહયોગ કરી રહ્યા છે. સુશાંત કેસમાં જ્યારે સીબીઆઈએ એન્ટ્રી કરી, ત્યારે પરમબીર જ કમિશ્નર હતા. પરંતુ સીબીઆઈ કંઇક નવું નથી નિકળી શક્યું.
મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો કોઇ વાળ પણ વાંકો ન કરી શકેઃ રાઉત
સમગ્ર વિવાદ પર સંજય રાઉતે કહ્યું કે, ત્રણ પાર્ટીઓમાં જે પણ નક્કી થયું છે, અંતિમ નિર્ણય કેબિનેટના મંચ પર મુખ્યમંત્રી દ્વારા જ લેવામાં આવશે. સંજય રાઉતે ફરી કહ્યું કે, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો કોઇ વાળ પણ વાંકો ન કરી શકે અને સરકાર પોતાના કાર્યકાળ પૂરો કરશે.
ઉલ્લેખનીય છે કે, સચિન વાજે કાંડ બાદ મુંબઈ પોલીસ કમિશનર પદથી પરમબીર સિંહની છુટ્ટા થયા હતા. જ્યારબાદ તેમની એક ચિઠ્ઠી સામે આવી, જેમાં પરમબીરસિંહે આરોપ લગાવ્યો કે ગૃહ મંત્રી અનિલ દેશમુખે સચિન વાજેને મુંબઈમાં દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટારગેટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદથી હોબાળો મચેલો છે અને મહારાષ્ટ્રની સરકાર પર સંકટ મંડરાઇ રહ્યું છે.