મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે અને કયા પક્ષના સમર્થનથી બનશે, તેને લઇને સ્થિતિ ખૂબ જ પેચીદી નજર આવી રહી છે. જો શિવસેના તેની સાથી પક્ષ ભાજપ પ્રત્યે વલણ દાખવી રહી છે, તો તે એનસીપી પ્રત્યે નરમ લાગે છે.
શરદ પવાર બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?
શિવસેના એનસીપીના સંપર્કમાં : સંજય રાઉત
શરદ પવારે શિવસેનાની વાતને નકારી
શિવસેનાના નેતા સંજય રાઉત કહી રહ્યા છે કે શિવસેના એનસીપીના સંપર્કમાં છે. જો કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી એનસીપીના પ્રમુખ શરદ પવાર હોઈ શકે છે, ત્યારે રાઉતે તેમને દિલ્હીનો નેતા કહીને જવાબ ફેરવી તોળ્યો હતો.
શરદ પવાર બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?
શરદ પવારના મુખ્યમંત્રી હોવાના સવાલ પર સંજય રાઉતે કહ્યું, 'તેઓ (શરદ પવાર) દિલ્હીના મોટા નેતા છે, તમે તેમને અહીં મહારાષ્ટ્રમાં કેમ લાવવા માંગો છો.' વળી સંજય રાઉતે એમ પણ કહ્યું હતું કે મેં શરદ પવાર સાથે વાત કરી છે અને અન્ય પાર્ટીઓ પણ તેમના સંપર્કમાં છે.
શિવસેના રચશે સરકાર ?
એટલે કે, શિવસેના ભાજપમાંથી બળવો કરવા અને એનસીપી અથવા કોંગ્રેસના ટેકાથી સરકાર રચવાના મૂડમાં હોઈ શકે છે, પરંતુ મુખ્યમંત્રી પદની લડાઇ તે લડી રહી છે તેમાં કોઇપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ શિવસેના કરવામાં માંગતી નથી.
શિવસેનાના કોઇ નેતાએ સંપર્ક કર્યો નથી : શરદ પવાર
બીજી તરફ શરદ પવારે નિવેદન આપ્યું છે કે શિવસેનાના કોઈ નેતાએ તેમનો સંપર્ક કર્યો નથી. સોમવારે શરદ પવારે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતાં શિવસેના સાથે સરકાર બનાવવાની તૈયારી કરી હતી કે જો આવી ચર્ચા થશે તો તે ઉદ્ધવ ઠાકરે જ હશે.