શિવસેના સાંસદ સંજય રાઉતે અસદુદ્દીન ઓવૈસીન પાર્ટી AIMIM સાથે હાથ મિલાવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓની સરકાર છે અને તેમાં ચોથાની કોઈ જરૂર નથી.
ઓવૈસીની પાર્ટીએ મહારાષ્ટ્રમાં ગઠબંધનની ઈચ્છા વ્યક્ત કરી
શિવસેનાએ ઘસીને ના પાડી દીધી
સંજય રાઉતે કહી દીધી આ વાત
શિવસેના સાંસદ સંજય રાઉતે અસદુદ્દીન ઓવૈસીન પાર્ટી AIMIM સાથે હાથ મિલાવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓની સરકાર છે અને તેમાં ચોથાની કોઈ જરૂર નથી. આપને જણાવી દઈએ કે, AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું હતું કે, તેમની પાર્ટી કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન માટે તૈયાર છે. બંને પાર્ટીઓ મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકારનો ભાગ છે.
AIMIM is always held responsible for BJP's victory, it is said that we are 'B' team of BJP, so we gave them (Congress) an offer to form an alliance with us. Since they are with Shiv Sena in Maharashtra, they'll never agree to form an alliance with us: AIMIM leader Imtiaz Jaleel pic.twitter.com/XqPoBlo9Gj
ઈમ્તિયાઝ જલીલના પ્રસ્તાવ પર કહ્યું કે, ભાજપ અને AIMIM આ બંને એકબીજા સાથે મળેલા છે. AIMIMએ ભાજપની B ટીમ છે. તેમના પ્રસ્તાવને અમે ઠોકર મારીએ છીએ. મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીની સરકાર છે અને તેમાં ચોથા માટે કોઈ જગ્યા નથી. યુપી અને બંગાળમાં સૌએ જોયું કે, AIMIMની શું ભૂમિકા હતી. અમે દૂરથી જ તેમને નમસ્કાર કરીએ છીએ.
ઓવૈસીની પાર્ટીએ ઈચ્છા વ્યક્ત કરી
જો કે, ઈમ્તિયાઝ જલીલે સ્પષ્ટ કર્યું છે કે, અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી AIMIM ભાજપની બી ટીમ નથી. જેવી રીતે મેઈન સ્ટ્રીમ પાર્ટીઓ આરોપ લગાવે છે. જલીલે જણાવ્યું હતું કે, એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રાજેશ ટોપે શુક્રવારે તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારે તેમણે કોંગ્રેસ અને એનસીપીની સાથે ગઠબંધન કરીને ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદ્દુલ મુસ્લમીનની ઈચ્છાથી માહિતગાર કર્યા હતા.
AIMIM હાથ મિલાવવા માટે તૈયાર
AIMIM નેતાએ કહ્યું કે, હવે અમે એ જોવા માગીએ છીએ કે, આ AIMIM વિરુદ્ધ ફક્ત એક આરોપ છે અથવા તો કોંગ્રેસ-એનસીપી અમારી સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે. AIMIMના પ્રસ્તાવને લઈને શિવસેનાના સંભાવિત વલણ પર ઔરંગાબાદથી સાંસદ જલીલે કોઈ પણ સ્પષ્ટ જવાબ આપવાની ના પાડી દીધી હતી. જલીલે કહ્યું કે, હકીકત એ છે કે, આ પાર્ટીઓ મુસ્લિમોના વોટ ઈચ્છે છે. ફક્ત એનસીપી જ શા માટે ? કોંગ્રેસ પણ કહે છે કે, ધર્મનિરપેક્ષ છે અને તેમને પણ મુસ્લિમોના વોટ જોઈએ છીએ. અમે તેમની સાથે હાથ મિલાવવા માટે પણ તૈયાર છીએ.
મુસ્લિમોના વોટ જોઈએ છે, પણ સત્તામા્ં ભાગીદાર નથી જોઈતા
તેમણે આરોપ લગાવ્યો છે કે, ભાજપ દેશને ખુબ નુકસાન પહોંચાડી રહ્યું છે અને AIMIM તેને હરાવવા માટે બધું જ કરવા તૈયાર છે. જલીલે કહ્યું કે, AIMIMએ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સાથે ગઠબંધન વિશે વાત કરી હતી. પણ તેઓ મુસલમાનોના મત ઈચ્છે છએ પણ ઔવેસીને નથી જોઈતા. જે મુખ્ય પાર્ટી છે. મહારાષ્ટ્રમાં પણ આ પાર્ટીઓને મુસલમાનોના વોટ જોઈએ છે, પણ AIMIM નથી જોઈતી.